ગાંધીનગર: કોરોનાને હરાવવા માટે ગુજરાત સહિત દેશભરમાં જાહેર કરાયેલા લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ગુજરાતમાં અકસ્માત સહિતની અન્ય ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં લોકો મોતને ભેટી રહ્યાં છે. ગાંધીનગરમાંથી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં તરબૂચ ખાવાથી એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેમાં પરિવારના બે બાળકોના મોત નીપજ્યાં છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરના જમીયતપુરા ગામમાં આવેલા ઇંટોના ભઠ્ઠામાં બિપીનભાઇ વર્મા, પત્ની ગુંજાબેન તેમજ પાંચ વર્ષનો યુવરાજ, ત્રણ વર્ષની કાવ્યા અને 3 મહિનાની કાવિશા સાથે રહેતા હતા. શનિવારે પરિવારના તમામ સભ્યોએ તરબુચ ખાધું હતું. ત્યારબાદ રાત્રિ દરમિયાન ફુડ પોઇઝનિંગની અસર થતાં ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. શ્રમિક પરિવારને ઝાડા ઉલટી અને ફૂડ પોઈઝનિંગ અંગેની જાણ થતાં દોડી આવેલા ગામના અગ્રણીએ બધાને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
તબીયત વધુ લથડતા ઇંટોના ભઠ્ઠાના માલિકે તમામમી સારવાર માટે તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન પરિવારના બે બાળકોના મોત થયા હતા. જેમાં 5 વર્ષનો યુવરાજ અને ત્રણ વર્ષની કાવ્યાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પતિ, પત્ની અને પુત્રી સારવાર હેઠળ છે. ગરમીની સીઝન ચાલી રહી હોવાથી વધુ સમયથી પડી રહેલી વસ્તુઓ ખાવાથી ફૂડ પોઈઝનિંગ જેવી ઘટનાઓ બની શકે છે. જેથી લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ.
from Page Array – I Am Gujarat https://ift.tt/3b8BAxN
No comments:
Post a Comment