Latest

Saturday, April 11, 2020

અમદાવાદઃ કોરોના વોરિયર્સને સલામ કરવા 76 વર્ષના વૃદ્ધ બાલ્કનીમાં 12 કલાક દોડ્યા

અમદાવાદઃ પોતાના 76માં જન્મદિવસ પર 75 મેરાથોનમાં દોડી ચૂકેલા વ્યક્તિએ જો વિચાર્યું હોત તો ઘરે બેસીને આરામ કર્યો હોત, પરંતુ રણધીર ચૌહાણે પોતાની જ બાલ્કનીમાં 12 કલાક સુધી સ્પોટ જોગિંગ કરી. સેટેલાઈટમાં રહેતા રણધીર ચૌહાણના જન્મદિવસ પર આવું કરવા પાછળનું કારણ હતું, કોરોના વયારસની મહામારી સામે લડી રહેલા ડોક્ટર્સ, મેરામેડિક્સ, પોલીસ અને સફાઈ કર્મચારીઓ સહિતના કોરોના વોરિયર્સને સલામ કરવાનું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

રણધીર ચૌહાણ પૂર્વ ગુજરાત પોલીસ અધિકારી છે, તેઓ 70ના દાયકામાં અમેરિકામાં સ્થાયી થયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પાંચ અલ્ટ્રા મેરાથોનમાં ભાગ લઈ ચૂક્યા છે, જેમાં 42 કિમી દોડવાનું હોય છે. ઉપરાંત શેર-એ-પંજાબ મેરાથોનમાં તેઓ 3 દિવસમાં 210 કિલોમીટર દોડ્યા હતા.

લોકડાઉનના કારણે ઘરમાં જ બધા લોકો બંધ થયા છે. ત્યારે રણધીર ચૌહાણે પોતાની 5 ફૂટની બાલ્કનીમાં આ સ્પોટ જોગિંગ કરી હતી. હાલમાં જ 21મી માર્ચે રિપોર્ટ આવી હતી કે, ફ્રાન્સમાં આવેલા તૌલૌસી શહેરમાં એલિસા નોકોમોવિટ્ઝ પોતાની બાલ્કનીમાં 42.2 કિમી દોડી. તેમાંથી જ પ્રેરણા લઈને ચૌહાણે આવું કર્યું, જોકે એલિશાની બાલ્કની 23 ફૂટની હતી.

રણધીર ચૌહાણે સવારે 6 વાગ્યાથી સ્પોટ જોગિંગની શરૂઆત કરી જે સાંજે 6 વાગ્યા સુધી ચાલી. આ દરમિયાન પોતાના શરીરને હાઈડ્રેટ રાખવા માટે તરબૂચ અને પાણી બાજુમાં રખાયા હતા. આ જોગિંગ દરમિયાન તેમણે લોકો સાથે ટેક્સ મેસેજથી પણ સંવાદ કર્યો. પોતાના અનુભવ વિશે વાત કરતા ચૌહાણ જણાવે છે, આ અનુભવ ટ્રેડમિલ પર દોડતા હોય તેવો હતો. મર્યાદિત જગ્યામાં દોડવાથી તમારી સ્પીડ ધીમી થાય છે, સદનસીબે મારી આસપાસ લીલોતરી છે.

ચૌહાણે કહ્યું, તેઓ ન્યૂયોર્ક, શિકાગો, બર્લિન, પેરિસ, હવાઈ, અલાસ્કા અને મુંબઈમાં યોજાતી રનિંગ ઈવેન્ટમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. પરંતુ શુક્રવારનો પ્રયાસ કોઈ અચીવમેન્ટ માટે નહોતો. આ કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોનો આભાર માનવા તથા પરપ્રાંતિય મજૂરોનું દુઃખ અનુભવવાનો પ્રયાસ હતો. તેઓ કહે છે, તેમનું દુઃખ કશું નથી કારણ તે તેમની પાસે પાણી-તરબૂચ હતા અને પોતાની પત્નીનો સપોર્ટ પણ હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/3a3Og7E

No comments:

Post a Comment

Pages