Latest

Saturday, April 25, 2020

અમદાવાદ લોકડાઉન: AMCની હદમાં આવતા 400 નિકાસલક્ષી ઉદ્યોગો આજથી શરૂ થયા

અમદાવાદ: 20 એપ્રિલથી રાજ્ય સરકાર ગુજરાતભરમાં કન્ટેનમેન્ટ અને હોટસ્પોટ સિવાયના વિસ્તારમાંથી ઔદ્યોગિક એકમોને શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત એક્સપોર્ટ ઓરિયેન્ટેડ ઔદ્યોગિક કંપનીઓ જે શહેરી વિસ્તારમાં આવેલી છે પરંતુ કન્ટેનમેન્ટ ઝોનથી બહાર છે તેમને 25મી એપ્રિલથી શરૂ કરવાનો વિજય રૂપાણીએ નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત અમદાવાદમાં મનપાની હદમાં આવતા 400થી નિકાસલક્ષી ઉદ્યોગો સરકારની ગાઈડલાઈન મુજબ આજથી ફરી ધમધમતા થયા છે. નરોડા, વટવા અને નારોલ સહિત 400 જેટલા નિકાસલક્ષી ઉદ્યોગો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ કંપનીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ, હેલ્થ અને સેફ્ટી સંબંધિત તમામ સાવચેતી રાખવી પડશે.

માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની તકેદારી રાખવી જરૂરી
ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યિક અને ઔદ્યોગિક એકમો શરૂ કરવાની મંજુરીઓ આપવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ વાણિજ્યિક એકમોએ થર્મલ ગન, ફરજિયાત માસ્કનો ઉપયોગ. સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એક્ઝિટ ટાઇમ અને ભીડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે.

નિયમોનુ પાલન ન થતા ઔદ્યોગિક એકલ બંધ કરી દેવાશે
એટલું જ નહિ, કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે જો તે શક્ય ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ સાથે સુનિશ્ચિત કરવાની રહેશે. આમાંની કોઈ પણ વ્યવસ્થાઓનું ઉલ્લંઘન કે ભંગ થશે તો મંજુરી પરત લઇ ઔદ્યોગિક એકમો બંધ કરી દેવામાં આવશે. આવી મંજુરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી રાખવી જરૂરી છે.

શહેરી સિવાયના વિસ્તારોમાં દસ્તાવેજોની નોંધણી શરૂ
ગુજરાતમાં કન્ટેનમેન્ટ અને હોટસ્પોટ વિસ્તાર સિવાય તમામ જગ્યાએ સરકારી કચેરીઓ નિયમો સાથે ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે સરકારે રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકા સિવાયના વિસ્તારોમાં આનેલ 98 સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી આજથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ 98 સબ રજિસ્ટ્રાર કચેરીમાં માત્ર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી અને ઓનલાઈન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે. કોરોનાના તબક્કે દસ્તાવેજોની નોંધણી સિવાયની નાગરિકલક્ષી નકલ અને શોધની કામગીરી બંધ રહેશે.

લોકડાઉન છતાં લોકો દૂધ-કરિયાણું લેવાના બહાને બહાર નીકળી રહ્યા છેઃ AMC કમિશનર



from Page Array – I Am Gujarat https://ift.tt/3bFvN2M

No comments:

Post a Comment

Pages