Latest

Monday, April 13, 2020

ગુજરાત લોકડાઉન: આજથી APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ શરૂ

ગાંધીનગર: કોરોના લોકડાઉનની સ્થિતિમાં રાજ્ય સરકારે ગુજરાતના APL-1 કાર્ડધારકોના પરિવારોને એપ્રિલ મહિનાનું અનાજનું વિમામુલ્યે વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આજથી ગુજરાતના લગભગ 60 લાખ પરિવારો સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે અનાજ મેળવી શકશે. આ નિર્ણયથી ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોના 3 કરોડથી વધુ મધ્યમ વર્ગીય લોકોને હવે કોરોના મહામારી દરમિયાન લાભ મળશે.

રેશનકાર્ડના છેલ્લા નંબર મુજબ અનાજ વિતરણની વ્યવસ્થા
13 એપ્રિલ: રેશનકાર્ડ છેલ્લો નંબર 1 અને 2
14 એપ્રિલ: છેલ્લો નંબર 3 અને 4
15 એપ્રિલ: છેલ્લો નંબર 5 અને 6
16 એપ્રિલ: છેલ્લો નંબર 7 અને 8
17 એપ્રિલ: છેલ્લો નંબર 9 અને 0
18 એપ્રિલ: વિશેષ કારણોસર બાકી રહી ગયેલા લોકો માટે

ગુજરાતના લગભગ 60 લાખ જેટલા APL-1 કાર્ડધારકો કે જેમનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ નથી તેવા અઢી કરોડ લોકો જેમને સામાન્ય સંજોગોમાં અનાજ આપવામાં આવતું નથી. તેવા પરિવારોને પણ લોકડાઉનની આ પરિસ્થિતિમાં એપ્રિલ મહિના માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ સસ્તા અનાજની દુકાન પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. જોકે, સીએમ રૂપાણીએ એવી પણ અપીલ કરી છે કે રાજ્યમાં જે સુખી સપન્ન લોકો છે તેમના હિસ્સાનું અનાજ જતું કરે તો વધુ પ્રમાણમાં લોકોને અનાજ મળી શકે છે.

આજથી રાજ્યની 17000થી વધુ સસ્તા અનાજોની દુકાનો પરથી 60 લાખ APL-1 કાર્ડધારકોને ઘઉં, ચોખા, દાળ અને ખાંડ વિનામૂલ્યે વિતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. અનાજ વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાનદીઠ શિક્ષકો, તલાટી અથવા ગ્રામસેવક, પોલીસ કર્મચારીઓ અને સમાજના આગેવાનોની એક-એક કમિટીની રચના કરવામાં આવશે. દુકાનદારે APL-1 કુટુંબોને અનાજ વિતરણ કરવાનો હિસાબ એક રજિસ્ટ્રરમાં મેઈન્ટેઈન કરવાનું રહેશે. અનાજ મેળવવા માટે APL-1 કાર્ડધારકોએ તેમનું રેશનકાર્ડ અને ઓળખના પૂરાવા માટે આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/34yiTRK

No comments:

Post a Comment

Pages