બ્રેન્ડન ડાભી & આલોક બ્રહ્મભટ્ટઃ ગુજરાતમાં રવિવારે કોવિડ-19ના 48 નવા કેસ નોંધાયા, આ સાથે જ કુલ કેસનો આંકડો 516 થઈ ગયો છે. નવા નોંધાયેલા તમામ કેસ અમદાવાદ, વડોદરા અને આણંદમાં સામે આવ્યા હતા. છેલ્લા અઠવાડિયામાં આ પહેલીવાર છે જ્યારે માત્ર ત્રણ જિલ્લામાંથી નવા કેસો સામે આવ્યા હોય. ત્યારે અમદાવાદમાં એક પોલીસકર્મીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
નવા નોંધાયેલા 48 કેસોમાંથી 39 અમદાવાદમાં, આણંદમાં 3 અને 6 વડોદરામાં હતા. અમદાવાદમાં પોઝિટિવ આવેલા 30 વર્ષના કોન્સ્ટેબલ કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ કોરોના હોટસ્પોટ વિસ્તારમાં સર્વેલન્સ કરી રહ્યા હતા. જોકે હાલમાં તેમનામાં કોરોના વાયરસના કોઈપણ લક્ષણો જોવા મળી રહ્યા નથી.
કાળુપુરના ઈન્સ્પેક્ટર આર.જી દેસાઈએ આ સમાચાર કન્ફર્મ કર્યા અને કહ્યું, કોન્સ્ટેબલ સાથે ડ્યૂટી પરના અન્ય પોલીસકર્મીઓની તપાસ થઈ રહી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું, 9મી એપ્રિલ શહેરમાંથી મોટી સંખ્યામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ પોલીસકર્મીમાં કોઈ લક્ષણો દેખાયા નથી. પરંતુ તેમને ઘરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે જ અમદાવાદમાં એક હેલ્થ વર્કર પણ કોરોના પોઝિટિવ આવી હતી.
રવિવારે સામે આવેલા 48 નવા કેસોમાંથી 23 કેસ સવારમાં અને અન્ય 25 કેસ દિવસ દરમિયાન પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં કોરોના વાયરસથી બે લોકોના મોત થયા હતા, આ બંને દર્દી અમદાવાદના હતા. જેમાંથી એક એલ.જી હોસ્પિટલમાં એડમિટ 75 વર્ષના વૃદ્ધ હતા અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ અન્ય 60 વર્ષની મહિલા દર્દી હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 24 થઈ ગયો છે.
આ પહેલીવાર છે કે રાજ્યની કોઈપણ હોસ્પિટલમાંથી એક અઠવાડિયું થવા છતાં કોઈ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. એવામાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો આંકડો હાલમાં 44 પર અટકેલો છે.
પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતી રવિએ કહ્યું, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લોકોએ ગાઈડલાઈન્સનું પાલન કરીને એડમિનિસ્ટ્રેશનને સહકાર આપવો જોઈએ. નવા વિસ્તારમાં રહેતા લોકોને કોરોનાનું સંક્રમણ કેવી રીતે લાગ્યું તે માટે પોલીસ અને કોર્પોરેશન તપાસ કરી રહ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2Rw2Z4I
No comments:
Post a Comment