હૈદરાબાદઃ તેલંગાણામાં એક પોલીસ ચોકી પર કથિત રીતે RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના કાર્યકર્તાઓને તૈનાત કરાયા હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલથયા બાદ વિવાદ ઉભો થઈ ગયો છે. આ પોલીસ સ્ટેશન સામે કાર્યવાહી કરીને અહીંની પોલીસ ઈન્સ્પેક્ટરને હટાવી દીધા છે. અધિકારીઓએ કહ્યું કે સ્વયંસેવકને મંજૂરી નથી અને તેમને જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે RSSએ આ ખબરોને ખોટી ગણાવી છે અને કાર્યકર્તાઓ પોલીસચોકી ઓળખપત્ર ચેક કરી રહ્યા હતા.
સંઘે આ મામલે શું કહ્યું
સંઘે આ ખબરોને ખોટી ગણાવી છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી તસવીરમાં RSSના સ્વયંસેવક કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન કથિત રીતે યદાદ્રી ભોંગીર જિલ્લામાં એક ચૌકી પર તૈનાત દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણાં લોકો આ સામે વાંધો ઉઠાવી રહ્યા છે. સવાલ પણ ઉઠ્યા કે ‘લાકડી લઈને’ RSSના કર્યકર્તાઓને ચોકીથી પસાર થનારા વાહન ચાલકોને કાગળ તપાસની મંજૂરી કોણે આપી દીધી.
મુખ્યમંત્રી પાસે માગ્યું સ્પષ્ટીકરણ
લોકોએ તેમની સામે કાર્યવાહીની પણ માંગ કરી છે. મજલિસ બચાઓ તહરીક પાર્ટીના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને એક નિવેદનમાં મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ પાસે આ મામલે સ્પષ્ટીકરણ માગ્યું છે. તેમણે પૂછ્યું છે કે શું TRS સરકારની નરમ હિન્દુત્વની નીતિ છે કે પછી RSS સમર્થક તેલંગાણા સરકારના અધિકારી પોતાની મરજીથી આમ કરી રહ્યા છે.
RSS volunteers helping the police department daily for 12 hours at Yadadri Bhuvanagiri district checkpost, Telangana. #RSSinAction pic.twitter.com/WjE2pcgpSy
— Friends of RSS (@friendsofrss) April 9, 2020
જોકે, પોલીસે કહ્યું કે પાછલા અઠવાડિયે કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ સાદા કપડામાં સ્વયંસેવા અને કેટલાક ચોકી પર ભોજન અને પાણીનું વિતરણ કરવામાં પોલીસની મદદ કરવાની કોશિશ કરી રહ્યા હતી. પોલીસના એક વરિષ્ઠ અધિકારીને કહ્યું કે અચાનક તેઓ બધા 9 એપ્રિલે આરએસએસના ડ્રેસમાં આવ્યા અને પછી તેમણે ચોકીની નજીકથી કેટલીક તસવીર લીધી. આ પછી તેમને અહીંથી જતા રહેવા માટે કહી દેવામાં આવ્યું.
અમેરિકામાં રહેતા ગુજરાતી મહિલાએ જણાવી આપવીતી
from Page Array – I Am Gujarat https://ift.tt/2V6dz4W
No comments:
Post a Comment