Latest

Saturday, April 11, 2020

મધ્યપ્રદેશઃ કોરોના વાયરસનો કહેર યથાવત્, ઈન્દોરમાં વધુ એક ડોક્ટરનું થયું મોત

ઈંદોરઃ ઈન્દોરમાં વધુ એક ડોક્ટરનું શુક્રવારે કોવિડ 19ના કારણે મોત થયું હતું. દિવસ દરમિયાન થયેલા 6 મૃત્યુમાં 65 વર્ષીય ડોક્ટરનો પણ સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

થોડા જ કલાકમાં ઈંદોરમાં કોવિડ 19ના કારણે થયેલા મૃત્યુનો દર 10થી વધીને 12 ટકાએ પહોંચી ગયો હતો. જે નેશનલ એવરેજ કરતાં ચાર ગણો વધારે હતો. મધ્યપ્રદેશનાં કોરોના વાયરસનાં કુલ 455 કેસમાંથી અડધાં માત્ર ઈન્દોરના છે.

ગુરુવારે ઈન્દોરમાં એક ડોક્ટરનું મોત થયું હતું, જે વાયરસના કારણે મૃત્યુ પામનાર રાજ્યના પહેલા ડોક્ટર હતા.

શુક્રવારે મૃત્યુ પામેલા ડોક્ટર ઈન્દોરથી આશરે 70 કિમી દૂર આવેલા ધાર જિલ્લાના નિવૃત આયુષ અધિકારી હતા. તેઓ બ્રહ્મા બાગ કોલોનીમાં પ્રેક્ટિસ કરતાં હતા.

’65 વર્ષીય ડોક્ટરનું મોત કોરોના વાયરસના કારણે થયું છે. અમે તેમના વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ’, તેમ ઈન્દોર ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર પ્રવીણ જડિયાએ કહ્યું.

વહીવટીતંત્ર તેમના ક્લિનિકની મુલાકાત લેનાર અથવા તો તેમના કોન્ટેક્ટમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યું છે. ગુરુવારે મૃત્યુ પામેલા ડોક્ટરે, કોરોના વાયરસના બે ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ દર્દીઓને તપાસ્યા હતા.

એમજીએમ મેડિકલ કોલેજ બુલેટિનમાં અન્ય ત્રણ મોતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સત્ય દેવ નગરમાં રહેતા 52 વર્ષીય વ્યક્તિનું એમવાય હોસ્ટિપલમાં મોત થયું હતું. તેમને 6 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને કિડનીની તકલીફ હતી. તેમણે 8 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. બુલેટિનમાં ઉલ્લેખ કરાયેલા અન્ય બે નામ વિશે વધારે માહિતી નથી.

ગોકુળદાસ હોસ્પિટલમાં પણ 65 અને 70 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસના કારણે મોત થયું હતું. બંનેને અનુક્રમે 5 અને 6 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 65 વર્ષીય વૃદ્ધનું 7 એપ્રિલે જ્યારે 70 વર્ષીય વૃદ્ધનું 8 તારીખે મોત થયું હતું. બંને વિશેની માહિતી શુક્રવારે જાહેર કરાઈ હતી.

લૉકડાઉન બાદ જો ટ્રેન ચાલુ થશે તો રેલવેએ બનાવ્યો છે આ ખાસ ‘પ્લાન’



from Page Array – I Am Gujarat https://ift.tt/2UWMOjc

No comments:

Post a Comment

Pages