Latest

Saturday, April 11, 2020

જામનગર: પરિવાર માટે કાળ બન્યું લોકડાઉન, પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો

રાજકોટ: લોકડાઉન દરમિયાન ઘરમાં કંકાસ વધી રહ્યો છે. એકબીજા પ્રત્યેનો ગુસ્સો ઘરેલુ હિંસાનું રૂપ ધારણ કરી રહ્યો છે. ગુરુવારે રાત્રે જામનગરમાં આવી જ એક ઘટના બની હતી. કથિત રીતે એક 60 વર્ષીય શખ્સે પહેલા પત્નીનું ગળું દબાવીને તેની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પોલીસના જણાવ્યા અનુસાર, જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા આરોપી મોહન રાઠોડ (60 વર્ષ)એ કથિત રીતે ઘરમાં પડેલી દોરીથી પત્ની રામી (57 વર્ષ)નું ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં બીજા રૂમમાં જઈને મોહન રાઠોડે પંખા પર લટકીને ગળે ફાંસો ખાધો હતો. આત્મહત્યા કરતા પહેલા મોહન રાઠોડે પોતે જ બંને મોત માટે જવાબદાર હોવાનું દીવાલ પર લખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોહન રાઠોડ કંસ્ટ્રક્શન સાઈટ પર મજૂરી કામ કરતો હતો.

મોહન રાઠોડના મોટા દીકરા હસમુખે (27 વર્ષ) પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. હસમુખના જણાવ્યા અનુસાર, બુધવારે પિતાએ તેની સાથે મારપીટ કરી હતી જે બાદ તે પોતાની બહેનના ઘરે રહેવા ગયો હતો. શુક્રવારે સવારે હસમુખ ઘરે પરત આવ્યો ત્યારે બારણું અંદરથી બંધ હતું. બાજુના મકાનની ગેલેરીમાંથી કૂદીને હસમુખ અંદર પહોંચ્યો હતો. ઘરની અંદરનું દ્રશ્ય જોઈને હસમુખ હચમચી ગયો હતો. તેના પિતાનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો જ્યારે બીજા રૂમમાં માતા મૃત અવસ્થામાં પડી હતી.

જામનગર પોલીસના ઈન્સ્પેક્ટર એમ.જે. જાલુએ કહ્યું, “હસમુખે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેના પિતાનો સ્વભાવ ખરાબ હતો. તેઓ અવારનવાર પરિવાર સાથે ઝઘડો કરતા હતા. સસરાના આવા સ્વભાવના કારણે હસમુખની પત્નીએ પણ તેને છૂટાછેડા આપી દીધા હતા. મોહન રાઠોડ ઘણીવાર પત્ની રામી, હસમુખ અને નાના દીકરા રમેશ (22 વર્ષ) સાથે મારઝૂડ કરતા હતા. હસમુખે ફરિયાદમાં કહ્યું કે, લોકડાઉનના કારણે પિતાના ઉશ્કેરાટમાં વધારો થયો હતો. હસમુખના કહેવા પ્રમાણે, પિતાએ આવેશમાં તેની માતાની હત્યા કરી હશે અને બાદમાં અપરાધભાવના લીધે પોતે પણ આત્મહત્યા કરી લીધી.”

લોકડાઉનમાં ફસાયેલા દીકરાને ઘરે લાવવા માતાએ 1400 કિલોમીટર સ્કૂટી ચલાવ્યું 



from Page Array – I Am Gujarat https://ift.tt/2ySnDWr

No comments:

Post a Comment

Pages