Latest

Tuesday, April 7, 2020

વોટ્સએપ ગ્રુપ બે દિવસ માટે બંધ કરવાની સૂચના થઈ વાયરલ, જાણો શું છે હકીકત

અમદાવાદઃ સોમવાર સાંજે પછીથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક મેસેજ બાદ ટપો-ટપ ગ્રુપના એડમિન દ્વારા ગ્રુપને એડમિન સુધી સમિત કરવાનું શરુ કરી દીધું. ગ્રુપના મેમ્બર દ્વારા ગ્રુપ ખોલીને ચેક કરવામાં આવ્યું તો તેમને ખ્યાલ આવ્યો કે તેઓ ગ્રુપમાં તો છે પણ મેસેજ કરી શકે તે માટે સક્ષમ નથી. રાત થતાં-થતાં આ મેસેજ વધારે વાયરલ થયો અને પછી લોકોએ ટપોટપ ગ્રુપ બંધ કરવાનું શરુ કરી દીધું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એક એવો મેસેજ વાયરલ થયો છે કે, ગ્રુપ એડમિનને 2 દિવસ માટે જૂથ બંધ રાખવા વિનંતી છે, કારણ કે જો કોઈ પણ ભૂલથી કોરોના ઉપર જોક કરે તો પણ, કલમ, 68, ૧ 140૦ અને ૧88 મુજબ પોલીસ એડમિન અને ગ્રુપના સભ્યો સામે કાર્યવાહી કરી શકે છે. દરેક વ્યક્તિ મુશ્કેલીમાં હોઈ શકે છે. તેથી હું જરૂરી પગલાં લેવા જૂથ એડમિનનું ધ્યાન દોરું છું. જોકે આ પ્રકારની વાત એકદમ પાણા વિહોણી અને ખોટી સાબિત થઈ છે. ખોટી માહિતી એટલી બધી ફેલાઈ ગઈ કે ખુલ સરકારે તેના પર ચોખવટ કરવી પડી છે.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ માહિતીને ખોટી ગણાવી છે અને શું હકીકત છે તે પણ જણાવ્યું છે. આ અંગે PIBએ જણાવ્યું છે કે, “ખોટો મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે જેમાં જણાવાઈ રહ્યું છે કે, એડમિન અને ગ્રુપ મેમ્બર્સ સામે પગલા ભરવામાં આવશે જો તમે કોરોના વાયરસ પર જોક્સ કરશો તો, આ સાથે ગ્રુપ એડમિન બે દિવસ માટે ગ્રુપ બંધ રાખે તેવી ખોટી માહિતી પણ વાયરલ થઈ રહી છે.” PIBએ કરેલા ટ્વીટમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “આ માહિતી તદ્દન ખોટી છે! આ પ્રકારની કોઈ વાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.”

આ પ્રકારના મેસેજને લઈને કેટલાક પોલીસ કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો, તેઓએ કોઈ હકીકત ચકાસ્યા વગર જ ગ્રુપને બંધ કરીને લોકોને સરકારની વાતમને માનવી જોઈએ તેવી રજૂઆત ગ્રુપના અન્ય સભ્યોને કરી હતી. જોકે, આ વાત સાવ ખોટી છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે પાછલા મહિને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી અને સુપ્રીમ કોર્ટે પાસે દિશા નિર્દેશ જારી કરવાની માંગ કરી હતી. સરકારે માગણી કરી હતી કે મીડિયા આઉટલેટ સરકાર દ્વારા આપવામાં આવેલા મિકેનિઝમથી તથ્યોની પુષ્ટિ કર્યા વગર કોરોના વાયરસ પર કશું પ્રિન્ટ કે પબ્લિસ ના કરવામાં આવે. આ સમાચારને ટાંકીને વોટ્સએપ પર ગ્રુપ બંધ રાખવાની ખોટી માહિતી ફેલાઈ રહી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Xe6y3f

No comments:

Post a Comment

Pages