Latest

Tuesday, April 28, 2020

ત્રીજી મે પછી કડકાઈ કે છૂટ? લોકડાઉનના ‘એક્ઝિટ પ્લાન’ પર કેન્દ્રએ શરુ કર્યું કામ

નવી દિલ્હીઃ સોમવારે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કેન્દ્ર સરકાર હવે લોકડાઉનની આગામી કાર્યવાહી અંગે કામ શરુ કરી કરી દીધું છે. રાજ્ય સરકારો તરફથી કેન્દ્રને મળેલા સૂચનોના આધાર પર પ્લાન બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હીમાં કેન્દ્ર સરકારથી લઈને જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધી રાજ્ય સરકારો પણ લોકડાઉન પર સંપૂર્ણ એક્શન પ્લાન બનાવવામાં લાગી ગઈ છે. શરુઆતની ચર્ચામાં જે બાબતો નિષ્કર્ષ તરીકે સામે આવી રહી છે, તેમાં મૂળ વાત એ છે કે કેન્દ્ર 3 મે પછી લોકડાઉન યથાવત રાખશે કે છૂટછાટો આપવાનું શરુ કરશે?

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઉચ્ચ પદસ્થ સત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આ લોકડાઉનનું સ્વરુપ હાલ ચાલી રહેલા લોકડાઉન કરતા એકદમ અલગ હશે અને સરકાર એ વિસ્તારોમાં થોડી છૂટછાટ આપી શકે છે કે જે વિસ્તારો સંપૂર્ણ રીતે કોરોનાથી મુક્ત થઈને ગ્રીન ઝોનમાં આવી ગયા છે. બીજી તરફ ખરાબ રીતે પ્રભાવિત દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં આગળ પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવી શકે છે.

છૂટછાટો સાથે લોકડાઉન યથાવત રાખવાની માગણી

સોમવારે મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન સાથે કરેલી વાતચીતમાં લોકડાઉન લંબાવવાની માગ કરી છે. જોકે, કેટલાક રાજ્યોએ એવા પણ છે કે જેમણે સંપૂર્ણ રીતે લોકડાઉનના બદલે કેટલાક છૂટછાટ સાથે લોકડાઉન લાગુ કરવા પર ભાર આવ્યો છે. પૂર્વોત્તર રાજ્યો સિવાય, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ માન્યું છે કે સંપૂર્ણ રીતે લોકડાઉન ઉઠાવવાનો નિર્ણય યોગ્ય નથી.

સાવધાન! ‘સાડી ચેલેન્જ’માં પોસ્ટ કરેલી તસવીરનો ફેક ન્યૂડ ફોટો માટે થઈ શકે છે ઉપયોગ

“રેડ ઝોન અને ગ્રીન ઝોન બનાવવાની દિશામાં રાજ્યોના સૂચન”

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડ ઝોન થયેલા વિસ્તારોમાં વધારે ધ્યાન આપીને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન બનાવવાની દીશામાં કામ કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે લોકડાઉનના કારણે દેશના ઘણાં ભાગોમાં સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. જોકે, વડાપ્રધાને એ વાતનો પણ સંકેત આપ્યો છે કે ઘણાં એક્સપર્ટ્સે એ વાતને માની છે કે કોરોનાની અસર આવનારા મહિનામાં વધી શકે છે. વડાપ્રધાને રાજ્યો સાથે કરેલા સંવાદ બાદ લોકડાઉન પર નિર્ણય લેવા અંગેના તમામ મુદ્દાઓ પર મંથન કરવા માટે કહ્યું છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઘણાં નિયમો રહેશે યથાવત

માનવામાં આવી રહ્યું છે કે 3 મે પછી સરકાર એ વિસ્તારમાં થોડી છૂટછાટ આપી શકે છે જે કોરોના હોટસ્પોટ નથી. આ સિવાય ઈ-કોમર્સ વેબસાઈટ્સ અને શહેરી વિસ્તારોમાં બજારો પર થોડી છૂટછાટો મળી શકે છે. આ માટે ગૃહમંત્રાલય પોતે વિસ્તૃત ગાઈડલાઈન જારી કરવાની તૈયારી કરી રહ્યું છે. એ વાતની સંપૂર્ણ સંભાવના છે કે જો સરકાર બજાર ખોલવાનો આદેશ આપે છે તો અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અલગ-અલગ સમય પ્રમાણે દુકાનો ખોલવાનો નિયમ લાગુ કરવામાં આવી શકે છે. આ સિવાય માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં રોજ આવી રહેલા નવા કેસોને ધ્યાનમાં રાખીને કોઈ ખાસ છૂટછાટ આપવામાં નહીં આવે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2SdBUnz

No comments:

Post a Comment

Pages