રામપુરઃ ઉત્તર પ્રદેશના રામપુરમાં સેનિટાઈઝેશન માટે ગયેલા એક યુવકની કથિત રીતે હત્યા કરી દેવામાં આવી. રામપુરના મોતીપુરા ગામમાં કોરોનાના ખતરા વચ્ચે સેનિટાઈઝેશન કરવા ગયેલા યુવકનો કેટલાક સ્થાનિક યુવકો સાથે વિવાદ થઈ ગયો, જે બાદ કેટલાક દબંગોએ તેને કથિત રીતે જબરજસ્તી સેનિટાઈઝર પીવડાવી દીધું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પોલીસે એક જ ગામના પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. SSP અરુણ કુમારે કહ્યું, ‘મૃતકના ભાઈએ અમને ઘટના વિશે સૂચના આપી. તેણે આરોપ લગાવ્યો કે જ્યારે મૃતક 14 એપ્રિલ મોતીપુરા ગામમાં સેનિટાઈઝેશન માટે ગયો, તો કેટલાક બદમાશોએ તેની સાથે મારપીટ કરી. જ્યાંથી તેને ડોક્ટર પાસે મોકલાયો. અહીંથી તેને મુરાદાબાદ જિલ્લાની ટીએમયુ હોસ્પિટલમાં એડમિટ કરાયો. 17 એપ્રિલે તેનું મોત થઈ ગયું.’
5 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
અરુણ કુમારે જણાવ્યું કે, ‘અમે આ સંબંધમાં મોતીપુરા ગામના 5 લોકો વિરુદ્ધ FIR દાખલ કરી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનું હજુ બાકી છે. અમે તપાસ બાદ પૂરાવાના આધારે કાર્યવાહી કરીશું.’ મૃતકના ભાઈ હરિશંકરનો આરોપ છે કે પાંચ લોકોએ તેના ભાઈના મોઢામાં જબરજસ્તી સેનિટાઈઝર સ્પ્રે નાખ્યો હતો.
હરિશંકરે કહ્યું, ‘મારો ભાઈ 14 એપ્રિલે રામપુરમાં કોવિડ-19ના ફેલાવાને અટકાવવા સેનિટાઈઝર છાંટવા ગયો હતો. ત્યાં પાંચ લોકોએ તેની સાથે મારપીટ કરીને મોઢામાં જબરજસ્તી સ્પ્રે છાંટી દીધો. સ્થાનિક લોકો તેને હોસ્પિટલ લઈ ગયા. હું પણ હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યારે તેને મુરાદાબાદની હોસ્પિટલમાં રિફર કરી દેવાયો. અહીં 17 એપ્રિલે તેનું મોત થઈ ગયું.’
from Page Array – I Am Gujarat https://ift.tt/2RO1QG4
No comments:
Post a Comment