Latest

Wednesday, April 29, 2020

પ્રાઈવેટ હોસ્પિટલો દર્દીઓની સારવાર કરતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવા ફરજ ના પાડી શકે

સુશ્મી ડે, નવી દિલ્હી: પ્રાઈવેટ હોસ્પિટલો ગંભીર હાલતમાં ટ્રીટમેન્ટ માટે આવતા દર્દીઓને દાખલ કરવાનો ઈનકાર કરતી હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. એટલું જ નહીં, દર્દીઓને કોરોના ટેસ્ટ કરાવવાની પણ ફરજ પડાઈ રહી હોવાનું ધ્યાને આવતા સરકાર હવે એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને નિર્દેશ અપાયો છે કે, તેઓ સુનિશ્ચિત કરે કે હોસ્પિટલો કામ કરતી રહે, અને દરેક દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવા ફરજ ના પાડે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

કેન્દ્રિય આરોગ્ય સચિવ પ્રીતિ સુદાને તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને પત્ર લખીને જણાવ્યું છે કે, ઘણી પ્રાઈવેટ હોસ્પિટલો ડાયાલિસિસ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, કિમોથેરાપી જેવી ટ્રીટમેન્ટ નથી આપી રહી. પોતાના સામાન્ય દર્દીઓને પણ કોરોનાના ડરથી આ હોસ્પિટલો સારવાર આપતા ડરી રહી છે, કે પછી તેણે પોતાનું કામકાજ જ બંધ કરી દીધું છે.

આ પત્રમાં જણાવાયું છે કે, હાલની સ્થિતિમાં તમામ હેલ્થ ફેસિલિટી અને ખાસ કરીને પ્રાઈવેટ હોસ્પિટલ્સ કામ કરતી રહે તે જરુરી છે. જેથી દર્દીઓને સારવાર માટે કોઈ હાડમારી ના ભોગવવી પડે. હોસ્પિટલો દર્દીઓને કોરોનાનો ટેસ્ટ કરાવવાની ફરજ પાડતી હોવા અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, રાજ્યો ટેસ્ટિંગ માટે ICMRના પ્રોટોકોલને અનુસરે, અને હોસ્પિટલો દરેક દર્દીના રિપોર્ટ માગવાને બદલે સ્ટાફને પીપીઈ કિટ્સ આપે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોના ફાટી નીકળ્યો છે ત્યારથી એવા અનેક કેસ સામે આવ્યા છે કે જેમાં પ્રાઈવેટ હોસ્પિટલ્સે ગંભીર હાલતમાં લવાયેલા દર્દીઓને દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હોય. મુંબઈમાં ચાર ગર્ભવતી મહિલાઓને લેબર પેઈન ઉપડ્યું તે સમયે જ તેમના પરિવારજનોએ ઠેર-ઠેર ભટકવું પડ્યું હતું, કારણકે કોઈ હોસ્પિટલ ડિલિવરી કરાવવા માટે તૈયાર નહોતી.

અમદાવાદમાં પણ 93 વર્ષના એક વૃદ્ધાને ફ્રેક્ચર થઈ જતાં હોસ્પિટલે દાખલ કરવાનો ઈનકાર કરી દીધો હતો. આગ્રામાં 25 એપ્રિલે પેટના દુ:ખાવાથી પીડાતા 12 વર્ષના છોકરાને હોસ્પિટલે સારવાર આપવાનો ઈનકાર કરી દેતા તેનું મોત થયું હતું.



from Page Array – I Am Gujarat https://ift.tt/2yRnLWg

No comments:

Post a Comment

Pages