Latest

Sunday, April 26, 2020

લોકડાઉનથી સાબરમતીને મળ્યું નવજીવન, નદીના પાણીમાં ઓક્સિઝનનું પ્રમાણ વધ્યું

અમદાવાદઃ દાયકાઓ બાદ પહેલીવાર સાબરમતી નદીનું પાણી પ્રદૂષણ રહીત વહેતું થયું છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) મુજબ, નદીમાં ઓક્સિઝનનું પ્રમાણ વધવાના કારણે તેમાં જીવન શક્ય છે. વર્ષોથી વાસણા-નારોલ ગટર લાઈન મારફતે નદીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈન્ડસ્ટ્રીયલ એકમોનો ઝેરી કચરો ભેળવાતો હતો. જેના કારણે નદીમાં ઓક્સિઝનનું પ્રમાણ ઘટી રહ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લોકડાઉન બાદ સાબરમતી નદીમાં હાંસોલથી લઈને વાસણા-નારોલ સુએજ પ્લાન્ટ સુધીના વિસ્તારમાં ઓક્સિઝનનું પ્રમાણ ધારણ જેટલું નથી વધ્યું. પરંતુ વૌઠા અને વાત્રક જે દેશનો સાતમો સૌથી પ્રદૂષિત પટ્ટો ગણાય છે ત્યાં આ પ્રમાણ ધારણા કરતા વધીને દર લિટરે 4.37 મિલિગ્રામ થઈ ગયું. અને મિરોલી પેટ્રોલ પંપ પાસે ઓક્સિઝનનું પ્રમાણ 4.26 મિલિગ્રામ પ્રતિ લિટર થઈ ગયું છે. આ આંકડા સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના છેલ્લા રિપોર્ટમાં દર્શાવાયા છે.

એવી ધારણા છે કે ધોળકા તાલુકામાં આવેલા વૌઠા ગામમાં કાર્તિકી પૂર્ણિમાએ સાબરમતીમાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહત્વ છે. જોકે નદીમાં શ્રદ્ધાળુઓને ડૂબકી મારવા માટે આટલું સ્વચ્છ પાણી આ પહેલા ક્યારેય જોવાયું નથી.

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના રિપોર્ટ મુજબ 2018માં વૌઠામાં નદીના પાણીમાં 147 મિલિગ્રામ પ્રતિ લિટર BOD લેવલ જોવા મળ્યું હતું. લોકડાઉનના ઠીક પહેલા GPCBએ ચેક કરેલા રિપોર્ટમાં તે 31 મિલિગ્રામ પ્રતિ લીટર હતું. જ્યારે હાલમાં તે જ જગ્યાએ તે BOD લેવલ 12મિલિગ્રામ પ્રતિ લિટર સુધી પહોંચી ગયું છે.

આમ વર્ષોથી ગટર અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં છોડાતા આવ્યા છે. પરિણામે તેની છાપ એક પ્રદૂષિત નદી તરીકે પડી ગઈ હતી. પરંતુ લોકડાઉન દરમિયાન ઉદ્યોગો બંધ કરતા નદીમાં ઠલવાતા કચરાનું પ્રમાણ એકદમ ઘટી ગયું હતું. પરિણામે નદી ફરીથી જીવંત બની હતી.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/3bQaGv3

No comments:

Post a Comment

Pages