Latest

Sunday, April 26, 2020

લોકડાઉનઃ 1 મહિનાથી ડ્યૂટી બાદ મિત્રો સાથે મળીને ગરીબોમાં ફૂડ કિટનું વિતરણ કરે છે આ ASI

સરફરાઝ શૈખ, અમદાવાદઃ 2016ની બેચના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને 2017થી સાયબર પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી કરી રહેલા 28 વર્ષીય પ્રિયંકા શ્રીમાળી લોકડાઉનનાં આ કપરા સમયમાં સરાહનીય કામ કરી રહ્યા છે. રાત્રે 8 વાગ્યે ડ્યૂટી પરથી પરત આવ્યા બાદ તેઓ ગરીબોમાં ભોજન અને ફૂડ કિટનું વિતરણ કરે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, તેમણે ચાર વ્યક્તિનું “buddies” નામનું ગ્રુપ બનાવ્યું છે અને લોકડાઉન શરૂ થયું ત્યારથી જ તેઓ ગરીબોને ભોજન આપવાનું કામ કરી રહ્યા છે. ‘અમે ગુરુવારથી ભોજનનું વિતરણ કરવાનું બંધ કરી દીધું છે અને હાલ જરૂરિયાતમંદોને ખાસ કરીને સાબરમતી વિસ્તારમાં ફૂડ કિટનું વિતરણ શરુ કર્યું છે’.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘હું એક દિવસ કેશવનગરમાં રહેતી મારા ફ્રેન્ડને લઈને શાહિબાગમાં આવેલી મારી ઓફિસે જઈ રહી હતી. તે સમયે મેં કેશવનગર બ્રિજની નીચે ઘણા ગરીબોને જોયા હતા, જેમની પાસે જમવાનું નહોતું. તે જ દિવસે અમે ચાર મિત્રોએ ભેગા મળીને ભૂખ્યાને ભોજન આપવાનું નક્કી કર્યું હતું’, તેમ શ્રીમાળીએ કહ્યું.

તેમણે કહ્યું કે, જે કંઈ પણ ખર્ચો થાય તે તેઓ પોતાના ખિસ્સામાંથી જ કાઢે છે અને રસોઈયાને 500 લોકો માટે ખીચડી, શાક અને રોટલી બનાવવાનું કહે છે. ડ્યૂટી અને ગરીબોને મદદ એમ બંને બાજુએ કેવી રીતે પહોંચી વળો છો, તે અંગે પૂછતાં તેમણે કહ્યું કે, તેમનો પરિવાર તેમને ખૂબ સપોર્ટ આપે છે અને તેમના જ સપોર્ટથી તેઓ આમ કરી શકે છે.

કહેવાય છે ને કે જ્યારે તમે કોઈ સારું કામ કરી રહ્યા હો ત્યારે કોઈને કોઈ તો અડચણ આવે જ. “Buddies”ને પણ આવી તકલીફનો સામનો કરવો પડ્યો જ્યારે મોટેરામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા રસોઈયાએ આવવાનું બંધ કરી દીધું. બાદમાં ગ્રુપે બીજો રસોઈયો રાખ્યો. રસોઈયો સ્કૂટર પર આવતો હોવાથી આ ગ્રુપ તેમને પેટ્રોલના પૈસા પણ આપે છે. પહેલા જે રસોઈયો હતો તે જમવાનું બનાવવા માટે એક પણ રૂપિયો નહોતો લેતો.

શ્રીમાળીએ જણાવ્યું હતું કે સાબરમતી વિસ્તારમાં કોરોનાના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતા તેમણે ગુરુવારથી ગરીબોને ભોજન આપવાનું બંધ કરી દીધું કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે જે વ્યક્તિ ભોજન લઈને સાબરમતી જાય છે તે વાયરસ લઈને પાછું આવે.

શ્રીમાળીના પરિવારમાં ચાર સભ્યો છે. તેના પિતા ભીખાભાઈ શ્રીમાળી જેઓ રિટાયર્ડ સરકારી કર્મચારી છે. તેમની માતા પુષ્પાબેન ગૃહિણી છે, તેમનો ભાઈ ચિરાગ અને બે મોટી બહેનો પરિણીત છે.

શ્રીમાળીએ કહ્યું કે, આ કામમાં તેમનો નાનો ભાઈ ચિરાગ પણ ખૂબ મદદ કરે છે. ‘કયા વિસ્તારમાં લોકોને ભોજનની વધારે જરૂર છે તે અંગે અમને જણાવે છે અને તેના ફીડબેક પરથી અમે તે વિસ્તારમાં જઈએ છીએ અને જરૂરિયાતમંદોને ભોજન આપીએ છીએ’, તેમ તેમણે ઉમેર્યું.

COVID 19: રંગ બદલી રહ્યો છે કોરોના વાયરસ, સામે આવ્યા નવા લક્ષણ



from Page Array – I Am Gujarat https://ift.tt/3bF0vt2

No comments:

Post a Comment

Pages