Latest

Wednesday, April 29, 2020

લોકડાઉનને કારણે દ્વારકામાં ફસાયેલો રશિયન પરિવાર માણી રહ્યો છે સૌરાષ્ટ્રની મહેમાનગતિ

નિમેષ ખાખરિયા, રાજકોટ: લોકડાઉનને કારણે પોતાના વતનથી હજારો કિમી દૂર દ્વારકામાં ફસાઈ ગયેલો એક રશિયન પરિવાર ઘરે કઈ રીતે પરત ફરી શકાશે તેની ચિંતામાં હતો. જોકે, આ અંગે જાણ થતાં જ ગુજરાતના પ્રવાસન વિભાગે આ રશિયન પરિવાર ભાડેથી રહી શકે તેની વ્યવસ્થા કરી આપી છે. આ પરિવાર 13 ઓક્ટોબરે ભારતના જાણીતા ધર્મસ્થાનોને નીહાળવા માટે આવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રશિયાથી સીધા દિલ્હી આવેલા ઝ્યુઝીન વિટેલી, તેમના પત્ની ઝુઈઝિના ગાલિના અને તેમનો ત્રણ વર્ષનો દીકરો ઝીઉઝીન સ્વિઆતોસ્લાવે વારાણસી, અયોધ્યા, હરિદ્વાર, બદ્રીનાથ, ગોરખનાથ તેમજ ઉજ્જૈન પણ ગયા હતા. આખરે, 2 માર્ચે તેઓ દ્વારકા આવ્યા હતા. તેઓ દ્વારકાથી 26 માર્ચે ટ્રેન દ્વારા રવાના થવાના હતા. જોકે, તે પહેલા જ લોકડાઉન જાહેર થઈ ગયું હતું, અને દેશભરમાં ટ્રેનો સહિતની પરિવહનની સેવા અટકી પડી હતી.

જેના કારણે આ પરિવાર દ્વારકામાં જ ફસાઈ ગયો હતો. જોકે, સ્થાનિક તંત્ર તેમજ પ્રવાસન વિભાગ આ પરિવારની મદદે દોડી આવ્યો હતો, અને તેમના રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી. ઝ્યુઝીનની પત્નીને હાલ છ મહિનાનો ગર્ભ છે. આ પરિવારના રહેવા સાથે ઝુઈઝિનાને નિયમિત દવાઓ તેમજ સારવાર મળતી રહે તેનો પણ તંત્ર દ્વારા ખાસ ખ્યાલ રખાયો છે.

દ્વારકાના મામલતદાર વિવેક બહરાટના જણાવ્યા અનુસાર, આ પરિવાર રશિયન એમ્બેસીના સંપર્કમાં છે, અને સ્થાનિક તંત્ર તેમને દરેક સંભવ મદદ કરી રહ્યું છે. તેઓ વિઝિટર્સ વિઝા પર ભારત આવ્યા છે, અને તેને એક્સ્ટેન્ડ કરવામાં પણ અમે મદદ કરીશું. રશિયા જવા માટે મુંબઈથી ફ્લાઈટ લેવામાં પણ આ દંપતી ડરી રહ્યું છે, કારણકે ઝુઈઝિના હાલ પ્રેગનેન્ટ છે. જોકે, હાલ તેમને દ્વારકામાં કોઈ તકલીફ નથી. તેઓ પોતાનું જમવાનું જાતે જ બનાવે છે, અને લોકડાઉન ખૂલી ના જાય ત્યાં સુધી તેઓ દ્વારકામાં જ રહેવા ઈચ્છે છે.

ગુજરાતના 33માંથી 30 જિલ્લામાં કોરોનાનો પગપેસારો થઈ ચૂક્યો છે. જોકે, દેવભૂમિ દ્વારકામાં હજુ સુધી કોરોનાનો એકેય કેસ નથી નોંધાયો.



from Page Array – I Am Gujarat https://ift.tt/3f42KYP

No comments:

Post a Comment

Pages