Latest

Tuesday, April 14, 2020

કોરોનાથી સ્વસ્થ થયેલા લોકો અન્ય દર્દીઓને આ રીતે આપી શકે છે નવજીવન

અમદાવાદ: વૈશ્વિક મહામારી કોરાનાની ચોક્કસ દવા બનતા હજુ અનેક મહીનાઓ લાગી શકે છે. જેથી આ વિકટ પરિસ્થિતિમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા નવા કેસોને ધ્યાનમાં રાખીને અમેરિકા અને દેશભરના ડોક્ટર્સ જૂની પદ્ધતિના આધારે સારવારના પ્રયોગો કરી રહ્યા છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ સિસ્ટમને માન્ય રાખીને કોરોના વાયરસનો ભોગ બનેલા દર્દીઓના પ્લાઝમાંનો ઉપયોગ કરીને અન્ય દર્દીઓને સાજા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી પણ આ દિશામાં વિચાર કરીને ત્વરિત નિર્ણય લેશે તો તેની ગુજરાતમાં પણ સંખ્યાબંધ દર્દીઓને નવજીવન મળી શકશે.

કોરોના વાયરસથી સ્વસ્થ થઈ ગયેલા દર્દીના શરીરમાંના લોહીમાંનું પ્લાઝમાં અલગ પાડીને તે અન્ય દર્દીઓને ચઢાવીને તેમને પણ સ્વસ્થ કરી શકાય છે. ફેંફસાના નિષ્ણાંતો મુજબ પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન તરીકે આ સિસ્ટમને ઓળખાવવામાં આવે છે. કોરોનાના સંક્રમણની રસી તૈયાર થતાં હજી એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે થે. જેથી પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝનની છૂટ આપવામાં આવી છે.

લોહી કેવા દર્દીઓ આપી શકે છે?
દર્દીને સ્વસ્થ કરવા માટે પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન માટે જોઈતું લોહી સામાન્ય વ્યક્તિના શરીરમાંથી ન લઈ શકાય. જે વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યો હોય અન તેમાંથી સ્વસ્થ થઈ ગયો હોય તેવા વ્યક્તિ પ્લાઝમાં ડોનેટ કરી શકે છે. તેમા પણ અમુક શર્તોનું પાલન જરૂરી છે. કોરોનાના સંક્રમણ બાદ બે સપ્તાહમાં દર્દીના છેલ્લા બે રિપોર્ટ નેગેટીવ હોવા જોઈએ. આ કેટેગરીમાં આવતા દરદીઓ જ પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન માટે તેમનું લોહી આપી શકે છે. કોરોનાના સંક્રમણના 15થી 30 દિવસ બાદ તેઓ લોહી આપે તો વધુ અસરકારક માનવામાં આવે છે.

પ્લાઝમાં કોને આપી શકાય?
પ્લાઝમાં કોને આપી શકાય છે તેમાં પણ અમુક શર્તો છે. જો કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, શ્વાસોચ્છ્વાસની ક્રિયા 30થી વધુ હોય અથવા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ 93 ટકાથી ઓછું થઈ ગયું હોય તેવા દરદીને પ્લાઝમાં ટ્રાન્સફ્યુઝન આપી શકાય છે. કોરોનાની વેક્સિન બનવામાં વધુ સમય લાગતા હાલના સમયમાં ‘કોન્વલસેન્ટ પ્લાઝમા’ (થેરાપી) દર્દીઓને સ્વસ્થ કરવા માટેનો ચોક્કસ વિકલ્પ માની શકાય છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Vs9lTT

No comments:

Post a Comment

Pages