Latest

Thursday, April 30, 2020

અ’વાદઃ બાળકીની લાશને સિવિલમાં જ છોડીને નાસી ગયા મા-બાપ, પોલીસ કરશે અંતિમ સંસ્કાર

અમદાવાદઃ મંગળવારે સિવિલ હોસ્પિટલમાં 6 મહિનાની એક બાળકીનું મોત નીપજ્યું હતું, તેને સોમવારે સારવાર માટે ખસેડાઈ હતી. જો કે, તે કોવિડ-19થી સંક્રમિત નહોતી. બાળકીના મોત બાદ હોસ્પિટલના સ્ટાફે તેના માતા-પિતાની શોધ કરી હતી પરંતુ કોઈ મળી ન આવતાં અંતે તેમણે નરોડા પોલીસને જાણ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઝોન-4ના DCP નીરજ બડગુજરે કહ્યું કે, બાળકીના પિતા ભરત ડામોર અને તેની પત્ની નરોડામાં રહે છે, તેઓ બાળકીને લઈને સોમવારે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. ‘મંગળવારે કોઈ કોમ્પિલકેશનના કારણે બાળકીનું મોત થયું હતું. તેને કોવિડ 19 માટે નહોતી ખસેડાઈ, તેને કોઈ અન્ય બીમારી હતી. ડામોર અને તેની પત્ની દીકરીની લાશને સિવિલમાં જ છોડીને નાસી ગયા હતા. બોર્ડર સીલ હોવાથી તેઓ ડુંગરપુર કેવી રીતે પહોંચ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે’, તેમ બડગુજરે કહ્યું. તેમણે તેમ પણ જણાવ્યું કે, હાલ બાળકીની લાશને સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે અને તેઓ તેના અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા કરી રહ્યા છે.

તપાસ હાથ ધરનાર ઈન્સપેક્ટર કે.બી. રાઠોડે કહ્યું કે, ‘નરોડામાં જ્યાં ડામોર રહે છે ત્યાં અમે ગયા હતા. અમે તેના પિતરાઈ ભાઈને શોધી કાઢ્યો હતો. તેણે ડામોરને ફોન કર્યો હતો અને બાળકીની અંતિમ ક્રિયા માટે પરત આવવા કહ્યું હતું. જો કે, તેણે ના પાડી દીધી હતી અને પોલીસને બાળકીની અંતિમ ક્રિયા કરવાની મંજૂરી આપી હતી’.

પોલીસે જણાવ્યું કે, ડામોરે ના પાડ્યા બાદ તેમણે ડુંગરપુર જિલ્લાના ધમ્બોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ત્યાંની પોલીસે ડામોરનો સંપર્ક સાધ્યો હતો, જો કે તેણે અમદાવાદ આવવાની ના પાડી દીધી હતી અને નરોડા પોલીસને બાળકીના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું હતું.

લૉકડાઉનમાં ટ્યૂશન લઈ રહ્યાં હતાં ટીચર, બાળકોએ બોલાવી પોલીસ 😅



from Page Array – I Am Gujarat https://ift.tt/3bPTaa7

No comments:

Post a Comment

Pages