બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની અચાનક તબિયત ખરાબ થતા તેમણે મુંબઇના HN રિલાયન્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ઋષિ કપૂરને કેન્સર સંબંધિત સમસ્યાને લઇને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમણે ICU રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ઋષિ કપૂરની સ્થિતિ હાલમાં ગંભીર પરંતુ સ્થિર છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ઋષિ કપૂરની તબિયત ખરાબ થવાને કારણે તેઓ છેલ્લા 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં છે. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ તેમની તબિયત ખરાબ થઈ હતી જે બાદ તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
ઋષિ કપૂરના ભાઈ રણધીર કપૂરે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેને લઈને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. લોકડાઉન વચ્ચે હોસ્પિટલમાં દાખલ ઋષિ કપૂર સાથે તેમની પત્ની નીતૂ કપૂર અને દીકરો રણબીર કપૂર છે. જ્યારે અન્ય કપૂર પરિવારના સભ્યો પણ મુંબઈમાં છે.
રિદ્ધિમા તેમની દીકરી હાલ ફેમિલી સાથે દિલ્હીમાં છે અને પિતાની તબિયત અંગેની સૂચના મળતા તેમણે મધિકારીઓને મહારાષ્ટ્ર જવા દેવા માટે મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી છે. દેશવ્યાપી લોકડાઉનના કારણે દિલ્હીની સરહદો સીલ છે. આ સાથે દેશના અન્ય એરપોર્ટ્સની સાથે દિલ્હી એરપોર્ટ પણ બંધ છે.
ઉલ્લેખનીય છે કે 2018માં ઋષિ કપૂરને કેન્સર હોવાની પુષ્ટિ થઈ હતી. જે બાદ ન્યૂયોર્કમાં આશરે 8 મહીના સુધી તેમની સારવાર ચાલી હતી. આ વાતની જાણકારી ઋષિ કપૂરે ફેન્સને આપી હતી કે તેમને કેન્સર છે અને હવે તેમની હાલતમાં સુધારો છે. ઋષિ કપૂરે 2019માં સારવાર બાદ તેમના ફેન્સને આ વાતની જાણકારી આપી હતી કે તે કેન્સર પીડિત છે. ઋષિ કપૂરની આ મુશ્કેલીના દિવસમાં તેમની પત્ની નીતૂ કપૂર તેમની સાથે ન્યૂયોર્કમાં હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2Slyijh
No comments:
Post a Comment