Latest

Wednesday, April 29, 2020

CBSE: ધોરણ-10ના બાકી રહી ગયેલા વિષયોની પરીક્ષા નહીં લેવાય, ધો-12 પર સસ્પેન્સ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકડાઉનના કારમે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે જોડાયેલી મોટી ખબર આવી છે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આવા સમયમાં દસમાના બોર્ડની પરીક્ષા કરાવવી શક્ય નથી, બાળકોને ઈન્ટરનલ બેસ પર પાસ કરવામાં આવશે. જોકે, 12ના પેપર પર હજુ સસ્પેન્સ યથાવત છે. મીડિયા સાથે વાત કરીને CBSE ના સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 12મા ધોરણના પેપર લોકડાઉનની આગળની સ્થિતિના હિસાબથી પ્લાન કરાશે. પેપર ક્યારે લેવાશે તેની જાણકારી 10 દિવસ પહેલા આપી દેવામાં આવશે.

10મા ધોરણના બાકી રહેલા પેપર રદ કરાયા

અનુરાગ ત્રિપાઠીએ ધોરણ-10ની બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલા સવાલ પર જણાવ્યું કે, “ધોરણ-10ની આખા દેશમાં બાકી રહેલી પરીક્ષા હતી, જે નાના વિષય હતા. તેમની પરીક્ષા હવે લેવામાં નહીં આવે. ઈન્ટરનલ અસાઈમેન્ટ અને બાકીના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રિઝલ્ટ બનાવવામાં આવશે. પ્રોડેટા બેસિસ પર.” જણાવ્યું કે આ વાત 1 એપ્રિલે જારી કરેલા સર્ક્યુલરમાં જ જણાવી દેવામાં આવી હતી.

કોરોનાને હરાવીને ફરજ પર હાજર થયા કાલુપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ, કરાયું સ્વાગત

પણ રમખાણવાળા નોર્થ ઈસ્ટમાં પરીક્ષા થશે

દિલ્હી નોર્થ ઈસ્ટ જિલ્લામાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા પણ નહોતી થઈ શકી. તેમના રમખાણોના કારણે પેપર રહી ગયા હતા. જણાવાયું કે તેમની પરીક્ષા થશે જ. આ વિસ્તારમાં માત્ર 6 મુખ્ય વિષયની જ પરીક્ષા થશે.

12મા ધોરણના કયા પેપર બાકી?

બિઝનેસ સ્ટડી, ભૂગોળ, હિન્દી (ઈલેક્ટિવ), હિન્દી (કોર), હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર સાયન્સ (નવું અને જૂનું) ઈન્ફોર્મેશન પ્રેક્સિસ (નવું અને જૂનું), બાયો ટેક્નોલોજી.

કોરોના વાયરસના સંકટ પર ટીવી ચેનલ સાથે વાત કરીને CBSE સચિવે કહ્યું કે, આ એક એવો સમય છે કે જ્યારે કોવિડનું સંકટ છે. CBSE બોર્ડ સહિત દુનિયાના અલગ-અલગ બોર્ડ બંધ છે. મારે પેરેન્ટ્સને એ કહેવાનું છે કે ગભરાવાની જરુર નથી. સેલ્ફ સ્ટડી કરાવો. દેશ અને દુનિયામાં જે થશે તે એક સમાન હશે. દરેક જગ્યાઓ પર એક સરખો નિર્ણય લેવામાં આવશે. બાળકો અને વાલીઓ ધીરજ રાખો.



from Page Array – I Am Gujarat https://ift.tt/2Sh7u3s

No comments:

Post a Comment

Pages