ગાંધીનગર: કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકાર ટેન્શનમાં આવી ગઈ છે. ખેડાવાલાએ ગઈકાલે જ સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદીપસિંહ જાડેજા તેમજ ઉચ્ચ અધિકારીઓ અને પત્રકારો સાથે મુલાકત કરી હતી. ખેડાવાલા સાથે હાજર રહેલા કોંગ્રેસના અન્ય ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઈન થઈ પણ ગયા છે.
સીએમના સચિવ અશ્વિની કુમારના જણાવ્યા અનુસાર, અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના કેસો વ્યાપક પ્રમાણમાં મળી આવતા સમગ્ર વિસ્તારને કર્ફ્યુ હેઠળ મૂકવા માટેની ચર્ચા વિચારણા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને CM વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા
. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા
સરકારનો એવો પણ દાવો છે કે, આશરે બે દિવસ પહેલા સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ખેડાવાલાના સેમ્પલ લેવામાં આવેલા હતા. જેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. ખેડાવાલાએ રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું. પરંતુ તેમ ના કરીને તેમણે ભૂલ કરી છે.
ગઈકાલે ખેડાવાલા સાથે જે મિટિંગ થઈ તેમાં સીએમ તેમનાથી આશરે 15 થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા. રુપાણી અને ખેડાવાલા નજીકના સંપર્કમાં આવ્યા નથી.
આમ છતાં બુધવારે સવારે મેડિકલ તજજ્ઞોની સલાહ મેળવીને તેને અનુસરવામાં આવશે, તેમ પણ મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું છે.
જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ ગઈકાલે સાંજે પોઝિટિવ આવ્યો હતો. તેઓ એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે ખેડાવાલાએ અમદાવાદના પોલીસ કમિશનર, મ્યુ. કમિશનર તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
from Page Array – I Am Gujarat https://ift.tt/3a8Fh59
No comments:
Post a Comment