સુષ્મી ડે, નવી દિલ્હીઃ કોરોના વાયરસની સારવાર શોધવાના તમામ પ્રયાસો ચાલી રહ્યા છે જેની વચ્ચે ભારતમાં પ્લાઝ્મા થેરાપી દ્વારા કોરોનાને માત આપવાની કોશિશો શરુ થઈ છે. આ અંગે સ્વાસ્થ મંત્રાલયે મંગળવારે એ ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે, પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ કોરોના વાયરસની સારવાર માટે મંજૂરી નથી અપાઈ, જ્યાં સુધી કોઈ મજબૂત વૈજ્ઞાનિક પુરાવા સાબિત ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ માત્ર સંશોધનના ઉદ્દેશ્યથી કરવામાં આવવો જોઈએ.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ખાનગી હોસ્પિટલો દ્વારા જ્યારે પ્લાઝ્મા થેરાપી કે ઈમ્યુન થેરાપીનો ઉપયોગ દર્દીની સારવાર માટે જરુરી હોય તે રીતે કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં દિલ્હીની મેક્સ સાકેત હોસ્પિટલમાં દાવો કરાયો કે યુવાન વ્યક્તિનો જીવ બચાવી લેવાયો જોકે, તે વ્યક્તિના પિતા જેમની ઉંમર 80 વર્ષ હતી તેમને બચાવવામાં સફળતા ના મળી.
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે આ મુદ્દે દાવા ખોટા છે અને હજુ સુધી આપણે રિસર્ચ સ્ટેજ પર જ છીએ.
કોરોનાને હરાવીને ફરજ પર હાજર થયા કાલુપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ, કરાયું સ્વાગત
સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ જણાવ્યું કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ (ICMR)ના મત મુજબ હાલ કોરોનાનો પ્લાઝ્મા થેરાપી તરીકે ઈલાજ ના કરી શકાય. ICMR તરફથી આ અંગેની મંજૂરી નથી મળી. આનો માત્ર હાલ ટ્રાયલ અને રિસર્ચ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ માટેની ગાઈડલાઈન્સનું યોગ્ય રીતે પાલન ના થયું તો તે જીવનું જોખમ પણ ઉભું કરી શકે છે.
દુનિયામાં કોરોના વાયરસ સામે લડવા માટે અલગ-અલગ થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાંથી પ્લાઝ્મા એક છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA)એ પણ પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ માત્ર પ્રાયોગિક ધોરણે કરવાનું જણાવ્યું છે નહીં કે સારવાર તરીકે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3bLXuqJ
No comments:
Post a Comment