Latest

Tuesday, April 14, 2020

Lockdown: છોકરાઓને ઘરની બહાર રમવા માટે મોકલ્યા, વાલીઓ સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદઃ લોકડાઉન દરમિયાન વડીલો ભલે ઘરની બહાર ના નીકળતા હોવ પણ તેમના બાળકો કંટાળી જાય છે તેવું બહાનું કાઢીને બહાર રમવા મોકલ્યા તો મા-બાપ સામે કડક પગલા ભરવામાં આવી શકે છે. આવી જ ઘટના ઘાટલોડિયા વિસ્તારમાં બની છે જ્યાં કોમન પ્લોટમાં રમતા 6 બાળકોના વાલીઓ સામે પોલીસે પગલા ભર્યા છે.

ઘાટલોડિયામાં 6 ઘરો સામે ફરિયાદ નોંધાઈ છે, આ 6 ઘરના ચાર છોકરાઓ અને બે છોકરીઓ 10થી 5ના સમય દરમિયાન ભેગા થઈને સોસાયટીના કોમન પ્લોટમાં રમતા હતા. હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ સરદારે FIR નોંધી છે. અહીં શુક્રવારે સાંજે ડ્રોન દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આ છોકરાઓ રમતા જોવા મળ્યા હતા જે તેમના વાલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ઘાટલોડિયામાં આવેલા અમી આસોપાલવ એપાર્ટમેન્ટ્સ વિસ્તારમાં પોલીસે જ્યારે ડ્રોન ઉડાવ્યું ત્યારે કેટલાક બાળકો ભેગા થઈને રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ફોટો લેવામાં આવ્યા હતા અને પછી બાળકોના વાલીઓને સમન મોકલવામાં આવ્યું હતું. જેના પર વાલીઓ દ્વારા યોગ્ય જવાબ ના મળતા, 6 વાલીઓ સામે પોલીસ કમિશનરના નોટિફિકેશન અને એપિડેમીક ડિસીઝીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો.

આ અંગે શહેર પોલીસે જણાવ્યું કે, બાળકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવ્યો જે બદલ તેમના વાલીઓ સામે પગલા ભરવામાં આવ્યા છે.

લૉકડાઉનમાં પડોશીઓ સાથે વાટકી વ્યવહાર માટે બનાવ્યો ‘ખાસ રોપવે’ 

ઘાટલોડિયાની ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, “અમે પહેલા વાલીઓને ચેતવણી આપી હતી કે તેમના બાળકોને રમવા માટે બહાર મોકલવામાં ના આવે, કારણ કે તેમને વાયરસ (કોરોના વાયરસ)નો ચેપ લાગવાનો ખતરો છે. જોકે, તેમણે અમારી વાત ના મારી અને બાળકો આ વિસ્તારમાં રમતા જોવા મળ્યા. વાલીઓને આ વાતની સમજ પડે તે માટે અમે ફરિયાદ નોંધી. આવું અન્ય વિસ્તારોમાં પણ હાથ ધરવામાં આવશે.” શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે રમી રહેલા બાળકો પર પોલીસ નજર રાખી રહી છે.

શું છે એપિડેમીક ડિસીઝીસ એક્ટ

એપિડેમિક ડિસીઝ એક્ટ, 1897 એવો કાયદાનો ઉપયોગ એવા સમયે કરવામાં આવે છે કે જ્યારે દેશની સ્થિતિ ખરાબ હોય અને કોઈ ગંભીર રોગ ફેલાઈ રહ્યો હોય. અંગ્રેજોએ બનાવેલા આ કાયદાનો સૌથી પહેલા ભારતમાં 1897માં ઉપયોગમાં લેવાયો હતો જ્યારે મુંબઈમાં પ્લેગ ફેલાયો હતો. આ જ રીતે રોગ વધુ ફેલાય નહીં તે માટે અને નિયમનો ભંગ કરનાર સામે આ કાયદા પ્રમાણે પગલા ભરવામાં આવે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2yQ8GUH

No comments:

Post a Comment

Pages