Latest

Wednesday, June 17, 2020

દેશમાં કોરોના વાયરસથી 10,000 કરતા વધુના મોત, રોજની ટેસ્ટ ક્ષમતા 3 લાખ કરાઈ

નવી દિલ્હીઃ ભારતમાં મંગળવારે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 10,000ને પાર થઈ ગઈ છે અને કેન્દ્ર રોજના ટેસ્ટની ક્ષમતા વધારીને 3 લાખ કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશ સતત પાંચ દિવસ 10,000 કરવા વધારે નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમણના કેસ વધીને 3,43,091 થઈ ગઈ છે અને 380 લોકોના મોત સાથે કુલ આંકડો 10,057 થઈ ગયો છે. દુનિયામાં બીમારીના કારણે 4,37,283 લોકોના મોત થઈ ગયા છે, જેમાં ભારત 8મા નંબર પર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

લક્ષણ વગરના લોકોનું પણ ટેસ્ટિંગ

મંત્રાલયે જણાવ્યું કે, કોરોના વાયરસની તપાસના આંકડા વધારવામાં આવ્યા છે અને એક દિવસમાં 3 લાખ નમૂનાની તપાસ કરવામાં આવી શકે છે, કારણ કે એક્સપર્ટ્સ અને મેડિકલ વૈજ્ઞાનિકોએ ચહ્નિત કરેલા રેડ ઝોન અને હોટ સ્પોટમાં તમામ બિન-લક્ષણવાળા લોકોના પણ ટેસ્ટ કરવા પર ભાર મૂક્યો છે. મંત્રાલયે જણાવ્યું કે હજુ સુધી દેશમાં 907 લેબોરેટરીઓનું નેટવર્ક તૈયાર કરાયું છે જેમાં 659 લેબોરેટરી સરકારી અને 248 ખાનગી ક્ષેત્રની છે.

લગભગ 60 લોકોની તપાસ કરાઈ

કહેવાય છે કે આરટી-પીસીઆર COVID-19ની તપાસ માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ તપાસ થઈ છે. આઈસીએમઆર મુજબ અત્યાર સુધીમાં કોરોના વાયરસ માટે 59,21,016 નમૂનાની તપાસ કરાઈ છે જેમાં 1,54,935 તપાસ સોમવારે કરવામાં આવી છે. મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીમાં તપાસ ક્ષમતા વધારવા માટે 11 જિલ્લામાં હવે માત્ર સંબંધિત જિલ્લાના નમૂનાની તપાસ માટે નિર્દેશિત લેબોરેટરી હશે. દિલ્હીમાં હાલ 42 લેબોરેટરી છે જેની ટેસ્ટ ક્ષમતા રોજની લગભગ 17,000 છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/37zJ7Vg

No comments:

Post a Comment

Pages