Latest

Tuesday, June 30, 2020

અમદાવાદ: મે મહિનામાં સ્મશાનોમાં થયેલી અંતિમ વિધિમાં 145 ટકાનો જંગી ઉછાળો

પૌલ જ્હોન, અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કેટલીક તસવીરો અને વીડિયોઝ જેમાં સ્માશન ગૃહો બહાર લાંબી લાંબી કતારો જોવા મળી છે તે કદાચ શહેરમાં વાયરસે જે તારાજી સર્જી છે તેનું પ્રતિકાત્મક હોઈ શકે છે. કેમ કે મે-2019માં શહેરમાં આવેલ 24 જેટલા જુદા જુદા સ્મશાનગૃહોના અંતિમ સંસ્કારના આંકડાની સરખાણીએ આ વખતે મે-2020માં જે દાહ સંસ્કારના આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં દાહ સંસ્કારમાં 145 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં પણ આ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જેમાં વર્ષ 2019માં 2523 લોકોના દાહ સંસ્કારની સરખામણીએ 18 જૂન સુધીમાં જ 3389 જેટલા વધુ લોકોના દાહ સંસ્કાર થયા હતા

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

એખ આરટીઆઈના રિપ્લાયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિગત આપવામાં આવી છે. કાલુપુરમાં રહેતા એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટ દ્વારા આ એપ્લિકેશન કરવામાં આવી હતી. જે આંકડા દર્શાવે છેકે આ વર્ષે મૃતકોની સંખ્યા ખૂબ જ વધાર છે. જોકે ભલે તેમાં એક કારણ કોવિડ 19 મહામારી હોય તેમ છતા AMC દ્વારા અનુમાન કરવામા આવેલા આંકડા કરતા આ આંકડો 12 ટકા જેટલો વધારે છે.

ગત વર્ષની ગણતરીને ધ્યાને લઈએ તો મે 2019માં સ્મશાન ગૃહોમાં 2,504 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેનાથી વિપરીત મે 2020માં શહેરના સ્મશાનગૃહમાં 6,147 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે પણ ત્યારે જ્યારે કોવિડ સંબંધિત લોકડાઉન ચાલી રહ્યું હતું.

આ ગત વર્ષ કરતા 3,643 વધુ અંતિમ સંસ્કાર છે. હવે જો AMCની મર્યાદામાં મે મહિનામાં નોંધાયેલા 666 કોવિડ -19 મૃત્યુ અને કોર્પોરેશનની લિમિટમાં વાર્ષિક સરેરાશ મૃત્યુ દરની 12 ટકાની વૃદ્ધિને ધ્યાને લેતા 300 મૃતકોનો આંકડો તે પ્રમાણે જોડીએ તો પણ શહેરમાં હજુ 2,677 વઘુ અંતિમ સંસ્કાર થયા છે. અત્રે નોંધનીય છે કે આ સંખ્યા શહેરમાં થયેલા કુલ મૃત્યુની સૂચક નથી કારણ કે તેમાં શહેરના સાત કબ્રસ્તાનમાં કેટલા લોકોની અંતિમ વિધિ થઈ તેની માહિતિ આપવામાં આવી નથી.

ત્યારે એક પ્રશ્ન દરેકને થાય કે તો પછી અંતિમ સંસ્કારમાં આવેલા આ અચાનક વધારા પાછળનું કારણ શું હોઈ શકે? નિષ્ણાતો કહે છે કે કોવિડ કરતાં વધુ લોકોએ કોવિડના ડરથી જીવ ગુમાવ્યો હશે. તબીબી નિષ્ણાંતો મુજબ હૃદય, ડાયાબિટીઝ, કિડની અને અન્ય બીમારી ધરાવતા લોકોએ કોરોના વાયરસના સંક્રમણના ભયથી હોસ્પિટલમાં આવવાનું ટાળતા આવી બીમારીઓથી પણ ઘણા લોકોના મોત થઈ શકે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2ZkhYlr

No comments:

Post a Comment

Pages