Latest

Tuesday, June 30, 2020

વડોદરાઃ ‘ડેન્ગ્યુ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી’ તેવું કહેવું વીમા કંપનીને ભારે પડી ગયું

જય પચ્ચીગર, વડોદરાઃ ડેન્ગ્યુ જેવી બીમારી કે જે દર્દીઓ માટે જીવલેણ બની શકે છે, તે માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અને તેને આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) સારવાર દ્વારા ઠીક કરી શકાય છે, તેવું દર્દીઓ માને તેમ જાહેર ક્ષેત્રની વીમા કંપની અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર ઈચ્છે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

જો કે, વડોદરાના નવાપુરામાં રહેતા એક નાગરિક કે જેમના દીકરાને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેમણે વડોદરાની ગ્રાહક કોર્ટનો આશરો લેતાં, કોર્ટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને એમડી ઈન્ડિયા હેલ્થકેર TPA પ્રાઈવેટ લિમિટેડને આવી ખરાબ મેડીકલ એડવાઈઝ આપવા બદલ અને ક્લેમ ફગાવવા બદલ આડેહાથ લીધી હતી. વીમા કંપનીએ કિર્તિ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા 13,783 રૂપિયાના ક્લેમને ફગાવ્યો હતો. કિર્તિ પટેલના દીકરા મનનને નવેમ્બર 2017માં અટલાદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

મનનને ડેન્ગ્યુ અને bicytopeniaની સાથે લોહીમાં એરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ્સ અને પ્લેટલેટ્સની ઉણપ હોવાનું નિદાન થયું હતું. તેને 3 દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ ડિસ્ચાર્જ કરાયો હતો. પરંતુ કંપનીનું કહેવું હતું કે, બંને બીમારીની સારવાર ઓપીડી ટ્રિટમેન્ટથી થઈ શકે છે અને આ માટે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

કંપનીએ ક્લેમ રિજેક્ટ કર્યા બાદ પટેલે સારવાર પાછળ ખર્ચ કરેલી રકમ તેમજ માનસિક ત્રાસ બદલ વળતર મેળવવા માટે વડોદરા ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રિડ્રેસલ ફોરમ (વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર મંચ)નો સંપર્ક કર્યો હતો.

‘કેસની સુનાવણી દરમિયાન પણ વીમા કંપની અને TPA પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને કહ્યું હતું કે ડેન્ગ્યુ તેમજ bicytopeniaની સારવાર OPD દ્વારા પણ કરી શકાય છે અને આ માટે હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર નથી. પરંતુ પટેલે ડેન્ગ્યુ અને bicytopeniaની સારવાર માટે ડોક્ટરે જે વાત કહી હતી તે સંદર્ભના મેડિકલ પેપર રજૂ કર્યા હતા’, તેમ પટેલના વકીલ જિગ્નેશ ચૌહાણે કહ્યું.

ડી. વાય. મલિકની અધ્યક્ષતાવાળા ફોરમે વીમા કંપની અને TPAની દલીલોને ફગાવી દીધી હતી અને ખરાબ મેડિકલ સલાહ આપવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે 8 ટકાના વ્યાજદર સાથે સારવારનો ખર્ચ તેમજ 2500 રૂપિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/3eRsF5O

No comments:

Post a Comment

Pages