Latest

Wednesday, June 17, 2020

મહારાષ્ટ્ર: કોવિડ-19થી થયેલા 1,328 મોત નોંધાયા જ નહોતા, હવે કુલ મૃત્યુઆંક 5,537 થયો

ભાવિકા જૈન, સુમિત્રા દેબ રોય, મુંબઈ: મહારાષ્ટ્ર સરકારને શરમમાં મૂકે તેવી ઘટના હાલમાં જ બની છે. રાજ્યના કોવિડ-19ના મૃત્યુઆંકમાં અત્યાર સુધીમાં 1,328 મોત નોંધવાના જ રહી ગયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે ડેટાનો હિસાબ મેળવ્યો ત્યારે રહી ગયેલા 1,328 મોત ઉમેરવામાં આવ્યા. ઉમેરવાના રહી ગયેલા આ મૃત્યુઆંકમાંથી 862 મુંબઈના હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

રહી ગયેલા મૃત્યુઆંક ઉમેર્યા બાદ મહારાષ્ટ્રનો કુલ મોતનો આંકડો મંગળવારે 5,537 પર પહોંચ્યો છે. આમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 81 મોતનો પણ સમાવેશ થાય છે. સોમવાર સુધી મહારાષ્ટ્રમાં કોવિડ-19થી મોતને ભેટેલા લોકોની સંખ્યા 4,128 હતી. મંગળવારે મુંબઈનો મૃત્યુઆંક પણ વધીને 3,167 થયો છે, જે સોમવારે 2,250 હતો. મંગળવારના આંકડામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે મોતને ભેટેલા 55 દર્દીઓનો પણ સમાવેશ થાય છે. આ નવા આંકડા બાદ મુંબઈનો કેસ ફેટાલિટી રેટ (CFR) મતલબ કે મૃત્યુદર 5%થી વધુ થયો છે. જ્યારે મહારાષ્ટ્રનો મૃત્યુદર સોમવારે 3.7% હતો જે વધીને 3.8% થયો છે. આનો અર્થ એ પણ થાય છે કે, ભારતના મૃત્યુદરમાં મહારાષ્ટ્રનો ફાળો 40%થી વધીને 50%થી વધુ થયો છે.

અધિકારીઓનું કહેવું છે કે, રહી ગયેલા આંકડા માર્ચ મહિનાથી અત્યાર સુધીના હોઈ શકે છે. એ વખતે લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય પરંતુ તેમના મોત બીજી કોઈ તકલીફ જેવી કે હાર્ટ અટેક કે ન્યૂમોનિયાને લીધે થયા હોય અને કોવિડ ડેથમાં ના ગણ્યા હોય તેવું બની શકે છે.

ડેટાની ફેર ચકાસણી બાદ સ્પષ્ટ થયું છે કે, 862 મોત મુંબઈના હતા અને બાકી 466 મોત 24 જિલ્લાઓમાંથી છે. મહત્વનું છે કે, સોમવારે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે ફરિયાદ કરી હતી કે, 951 મોત ડેટામાંથી ‘ગાયબ’ છે. ડેટા ચકાસ્યા બાદ મુંબઈના નોંધવાના રહી ગયેલા મોત ફડણવીસે આપેલા આંકડાની નજીકના છે. મુંબઈ બાદ થાણેમાં સૌથી વધુ 146 મોત થયા છે. જલગાંવ, સોલાપુર જેવા સ્થળો જ્યાં પહેલાથી જ મૃત્યુદર ઊંચો છે ત્યાં પણ અનુક્રમે 34 અને 51 મોત ઉમેરાયા હતા.

મૃત્યુઆંકને લઈને ઉઠેલા વિવાદ વિશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યું, રાજ્ય કોવિડ-19 સામે પ્રામાણિકતા અને પારદર્શિતા સાથે લડી રહ્યું છે. ‘ડેટાનો હિસાબ મેળવવાનું કામ દર અઠવાડિયે કરવામાં આવશે જેથી સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે. અગાઉ પણ આ જ પ્રકારે કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો’, તેમ સીએમે ટ્વિટમાં જણાવ્યું હતું.

મુખ્ય સચિવ અજોય મહેતા કહ્યું, રાજ્યમાં નવું એસઓપી શરૂ કરાશે. દર અઠવાડિયે પોઝિટિવ આવેલા લોકોની માહિતી અને તેમની સ્થિતિ કેવી છે તે જણાવવામાં આવશે. જો આ દરમિયાન કોઈ ભૂલ હશે તો આ સમયગાળામાં જ સુધરી જશે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, સરકારના આંકડા તેમણે કરેલી ફરિયાદની સાબિતી પૂરે છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3d7OKLD

No comments:

Post a Comment

Pages