અલવિદા! સુશાંત

સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં 14 જૂનના દિવસે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. સુશાંતની ઉંમર માત્ર 34 વર્ષ જ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટર ડિપ્રેશનથી પીડાતો હતો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આવું હતું બહેનના દીકરાનું રિએક્શન

હવે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં રહેતી સુશાંતની બહેન શ્વેતાએ ફેસબુક પર શેર કર્યું છે, ‘મામા’ના નિધનના સમાચાર સાંભળીને તેમના બાળકોનું રિએક્શન કેવું હતું. તેણે પોસ્ટમાં લખ્યું છે કે, ‘જ્યારે મેં નિર્વાણને કહ્યું કે, મામા આ દુનિયામાં રહ્યા નથી. ત્યારે તેણે કહ્યું હતું કે, પરંતુ તે આપણા દિલમાં જીવિત છે. આ વાત તેણે ત્રણ વખત કહી હતી. જ્યારે 5 વર્ષનો છોકરો આવું કંઈક કહી શકે…ત્યારે વિચારો કે આપણે બધાએ કેટલા મજબૂત બનવું જોઈએ…દરેક વ્યક્તિએ મજબૂત બનવું જોઈએ…ખાસ કરીને સુશાંતના ફેન્સે…પ્લીઝ સમજો કે તે આપણા દિલમાં રહે છે અને તે હંમેશા રહેશે…તેની આત્માને ઠેસ પહોંચે તેવું કોઈ કામ ન કરતાં….સ્ટે સ્ટ્રોન્ગ’.
જલ્દી ભારત આવશે એક્ટરની બહેન

આ અગાઉની પોસ્ટમાં તેણે ખુલાસો કર્યો હતો કે, તે પરિવારનો ટેકો બનવા માટે ભારત આવશે. તેણે કહ્યું હતું કે, ‘મારે તાત્કાલિક ધોરણે ભારત જવાની જરૂર છે…પરંતુ ફ્લાઈટ ટિકિટ મળી રહી નથી…જો કોઈ મદદ કરી શકે તો…મને જાણ કરજો’. બાદમાં તેણે ઉમેર્યું હતું કે, ‘દરેકની મદદથી ભારત આવવાની ટિકિટ મને મળી ગઈ છે. 16 તારીખની ફ્લાઈટ છે…હું દિલ્હી વાયા મુંબઈ પહોંચીશ. 7 દિવસના ક્વોરન્ટિન પિરિયડને લઈને ચિંતિત છું…મારે મારા પરિવારને જલ્દીથી મળવાની જરૂર છે’.
સેલેબ્સે વ્યક્ત કર્યો શોક

ઉલ્લેખનીય છે કે, સેલેબ્સે સુશાંતના નિધન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેના પરિવારને સાંત્વના પાઠવી હતી. ઘણા સેલેબ્સ બોલિવુડે સુશાંતને સપોર્ટ ના આપ્યો હોવાની પણ વાત કરી છે. સોમવારે જ્યારે તેની અંતિમ ક્રિયા થઈ ત્યારે શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, રણવીર શૌરી સહિતના કેટલાક સેલેબ્સ ત્યાં હાજર રહ્યા હતા.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3fuIvmt
No comments:
Post a Comment