પાણીપુરીવાળાના પરિવારને મદદે આવ્યા ગ્રાહકો

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિ દિવસે દિવસે કથળી રહી છે. મુંબઈમાં તો સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આ દરમિયાન મુંબઈમાં એક પાણીપુરી વેચવાવાળાનું કોરોનાના કારણે મોત થઈ ગયું. આ પાણીપુરીવાળો છેલ્લા 46 વર્ષથી દ.મુંબઈમાં પાણીપુરી વેચતો હતો. તેવામાં તેના મોતના સમાચાર બાદ ગ્રાહકો આગળ આવ્યા અને પરિવારને મદદ કરવા માટે એક દિવસમાં રુ. 2 લાખ ભેગા કર્યા. આ સેવા કાર્યમાં મુંબઈ જ નહીં વિદેશમાં બેઠેલા કેટલાક ભારતીયોએ પણ આગળ વધીને ભાગ લીધો.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
છેલ્લા 46 વર્ષથી એક જ જગ્યાએ ઉભા રહી વેચતા પાણીપુરી

દ. મુંબઈના નેપેંસી રોડ પર છેલ્લા 46 વર્ષથી પાણીપુરી વેચતા ભગવતી યાદવે સ્વાદની સાથે સાથે આટલા વર્ષોથી પોતાના ગ્રાહકોના આરોગ્યનું પણ પૂરતું ધ્યાન રાખ્યું છે. તેઓ પોતાની પાણીપુરીની દરેક વસ્તુઓની હાઈજીન અને શુદ્ધતા, પરિસરની સાફસફાઈ પર ખૂબ જ ભાર આપતા હતા. જેને લઈને તેમને ત્યાં પાણીપુરી ખાવાવાળાની પણ ભીડ હંમેશા રહેતી હતી.
જ્યારે કોરોનાથી મૃત્યુ થયું તો પરિવારને મદદ આવ્યા ગ્રાહકો

જોકે કોરોના વાયરસના આ સંકટમાં તેઓ પોતાના જ આરોગ્યનું ધ્યાન રાખી શક્યા નહીં. જેના કારણે તેઓ કોરોના સંક્રમિત થયા અને સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું. જ્યારે આ બાબત પર ગ્રાહકોને તેની જાણકારી મળી તો તેમણે પરિવારની મદદ માટે આગળ આવવાનું નક્કી કર્યું. તેમના પરિવારને આર્થિક મદદ માટે જે ઝુંબેશ ઉપાડી તે સફળ થતી જોવા મળી રહી છે.
દેશ-વિદેશમાં ફેમસ હતા પાણીપુરીવાલા યાદવજી

અહેવાલ મુજબ યાદવ ઘરમાં એકલા જ કમાનાર હતા. હવે તેમના ગ્રાહકો તેમની દીકરી અને પત્નીના સંપર્કમાં છે અને તેમણે પરિવારને મદદ કરવા માટે એક ક્રાઉડ ફંડિગ વેબસાઈટ બનાવી આપી છે. આ વેબસાઈટ દ્વારા એક જ દિવસમાં બે લાખ રુપિયા ભેગા કરવામાં આવ્યા. તેમની પાણીપુરીનો ટેસ્ટના દિવાના મુંબઈ જ નહીં વિદેશમાં પણ ઘણા હતા. આ કારણે જ જ્યારે પણ મુંબઈ ઇન્ડિયા આ લોકો આવતા ત્યારે યાદવે બનાવેલ પાણીપુરીની પુરીઓને પણ સાથે લઈ જશે.
પાણીપુરીની ખાસીયત વર્ષોથી એક જ ટેસ્ટ અને હાઈજીન

ભગવતી યાદવની પાણીપુરીના ટેસ્ટ પાછળ તેમનું હોમમેડ કારણ હતું. પાણીપુરી માટે દરેક વસ્તુઓને તેઓ ઘરે જ બનાવતા હતા. મસાલો તૈયાર કરવા માટે મિક્સરની જગ્યાએ હાથનો ઉપયોગ કરતા હતા. પૂરી પણ ઘરે જ બનાવતા હતા. યાદવના નિયમિત ગ્રાહકોનું કહેવુ છે કે ‘આટલા વર્ષોમાં ક્યારેય તેમની પુરીનો ટેસ્ટ બદલાયો નથી. કાયમ તેવો જ રહ્યો છે. અમે નાનપણથી તેમની પાસે પાણીપૂરી ખાવા માટે જતા હતા. તેમની દહીં બટાટા પૂરી અને પાણીપૂરી પ્રસિદ્ધ હતી.’
પરિવાર ગ્રાહકોની મદદથી થયો ગદગદ

કહેવાય છે કે દરરોજ વાલકેશ્વર પાસે આવેલ પોતાના ઘરેથી છેટ નેપીયન સી રોડ સુધી રોજ ચાલીને આવતા જતા અને સવારે 6.00 વાગ્યે યાદવ તેમની જગ્યા પર અચૂક આવી જતા અને પાણીપૂરી માટેની તૈયારીઓ શરૂ કરી દેતા હતા. તેઓ બિસ્લેરીનું પાણી ઉપયોગ કરતા હતા. ઉનાળો, ચોમાસુ હોય કે શિયાળો તેઓ અચૂક ગ્રાહકોને પાણીપુરી આપવા માટે પહોંચી જતા હતા. હવે તેમની દીકરીએ કુસુમે કહ્યું કે, ‘જેટલા તો પરિવારજનોના ફોન નથી આવ્યા એટલા ગ્રાહકોના ફોન આવ્યા છે અને અમને હતું કે હવે કઈ રીતે અમે આગળ જીવીશું પરંતુ પિતા માટે આ લોકોનો પ્રેમ અને અમને મળેલી મદદથી હું અને મારા માતા ખૂબ જ ગદગદ થઈ ગયા છે.’
from Page Array – I Am Gujarat https://ift.tt/3hZxXy5
No comments:
Post a Comment