ચોમાસામાં ‘વેનિસ’ બની જાય છે આ ગામ

દિલીપ જીરુકા, રાજકોટઃ વરસાદ પડે કે તરત જ અમદાવાદ અને સુરત જેવા શહેરમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે, આવી સ્થિતિમાં ગામડાની શું હાલત થતી હશે તે વિચારવા જેવી છે. અમરેલી જિલ્લાની જ વાત કરીએ તો તેના સાવરકુંડલા તાલુકાના બે ગામડા એવા છે જે ચોમાસા દરમિયાન ‘વેનિસ’માં ફેરવાઈ જાય છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
છેલ્લા ઘણા વર્ષથી વેઠી રહ્યા છે તકલીફ

ફરક માત્ર એટલો જ છે કે, વેનિસના લોકો માટે ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગૉન્ડૉલા (વેનિસમાં મુસાફરી માટે વપરાતી હલકી હોડી) મુસાફરી માટેનો એક જ માત્ર વિકલ્પ છે. જ્યારે સુરજવડી અને બાઢડા ગામના 300 જેટલા ગ્રામજનોને સરકારના અધિકારીઓના ઉદાસીનતાભર્યા વલણ અને પ્રકૃતિના પ્રકોપના કારણે રબરથી બનેલી હલેસા હોડીમાં ફરવું પડે છે. આ બંને ગામના લોકો સુરજવડી નદી દ્વારા જોડાયેલા છે અને લગભગ 10 વર્ષ પહેલા નદી પર એક ડેમ બાંધવામાં આવ્યો હતો, જે સમાંતર ચાલતા માર્ગ કરતા 10 ફૂટથી ઊંચો છે.
દર વર્ષે સર્જાય છે દયનીય સ્થિતિ

આ એક માત્ર એવો રસ્તો છે જે ગામડાની સાથે-સાથે તેમના ખેતરોને જોડે છે. તે સમયે ગામના લોકોએ ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી સમક્ષ ડેમની ઊંચાઈ અંગે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે વરસાદ દરમિયાન મુશ્કેલીઓ ઊભી કરશે. તે સમયે તેમણે ગ્રામજનોને મદદની ખાતરી આપી હતી, તે બાદ જે હતું તેમનું તેમ જ છે. દર વર્ષે ચોમાસામાં નદીમાં પૂર આવે છે અને રસ્તા પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે દયનીય સ્થિતિ સર્જાઈ છે.
10 ફૂટ પાણીમાં ડૂબેલા રહે છે રોડ

‘ચોમાસા દરમિયાન અમારા ખેતરો તરફ જવાનો રસ્તો 10 ફૂટ પાણીમાં ડૂબી જાય છે. અને છ મહિના કરતાં વધુ સમય માટે પાણી રહે છે, જેના કારણે અમારી પાસે ‘માનવ-સર્જિત નદી’ને ઓળંગવા માટે હલેસા હોડી સિવાય બીજો કોઈ ઓપ્શન રહેતો નથી’, તેમ બાઢડા ગામના ખેડૂત હસમુખ પટેલે કહ્યું. 20 જેટલા ખેડૂત પરિવારો માટે ચોમાસુ હવે માથાનો દુઃખાવો બની ગયું છે. જેઓ રોજ ખેતર સુધી પહોંચવા માટે હોડી દ્વારા 14 કિમીની મુસાફરી કરે છે. આ સમસ્યા તેમને મગફળી અને કપાસની લણણીની સીઝનમાં પણ નડે છે.
પાકની લણણીમાં પણ નડે છે મુશ્કેલી

‘જ્યાં સુધી અમે બે પાકોની લણણી કરીશું ત્યાં સુધીમાં રસ્તા પરનું પાણી 2-3 ફૂટ થઈ જશે અને અમે તેમાં અમારા ભારે વાહનો પણ ચલાવી શકીશું. અમે કોઈ પણ રીતે અમારી ઉપજને ટ્રેક્ટરોમાં લોડ કરીએ છીએ પરંતુ બંને પાકને પાણી અનુકૂળ ન આવતું હોવાથી અમારે નુકસાન પણ ભોગવવું પડે છે’, તેમ પટેલે કહ્યું. તેમણે તેમ પણ કહ્યું કે, તેઓ આ બાબતે અનેક વખત અધિકારીઓ સામે રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. ‘નદી પર બ્રિજ બાંધવા માટેની અરજી અમે અત્યારસુધીમાં ઘણી વખત જિલ્લા વહીવટીતંત્રને આપી છે. પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી’, તેમ બાઢડા ગામના રહેવાસી અંસાર સાહિરાએ જણાવ્યું.
from Page Array – I Am Gujarat https://ift.tt/2NrK88K
No comments:
Post a Comment