Latest

Friday, June 26, 2020

અમદાવાદ: શાહપુરમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, દિલ્હી દરવાજા પાસે ફાયરિંગની ઘટના

અમદાવાદ: શહેરના શાહપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારી ઘટના બાદ પોલીસે મામળો થાળે પાડ્યો હતો ત્યારે દિલ્હી દરવાજા પાસે ફાયરિંગની ઘટના બની હતી. વિગતો મુજબ કિન્નરો વચ્ચે ગેંગવોરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે નીતૂ દે નામના કિન્નરની અટકાયત કરીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શાહપુરમાં ખાનપુર નજીક ભીલવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ પથ્થરમારો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામળો થાળે પાડ્યો હતો. જોકે હજી પોલીસ રાહતનો શ્વાસ લે ત્યા સુધી દિલ્હી દરવાજા પાસે કિન્નરોની ગેંગવારમાં ફાયરિંગ થઈ હોવાનો મેસેજ મળતા ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો.

દિલ્હી દરવાજા ચાર રસ્તા નજીક કિન્નરોની ગેંગવોરમાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે માધુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈનું કહેવું છે કે, ફાયરિંગનો મેસેજ મળતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાની તપાસ કરતા કિન્નરોની વચ્ચેની ગેંગવોરમાં ફાયરિંગ થયું હોવાની વિગતો ખુલી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ભાવના દે અને નીતુ દેની કિન્નર ગેંગ વચ્ચે છેલ્લા ઘણાં સમયથી પૈસા ઉઘરાવવાની બાબતે ઝઘડો ચાલી રહ્યો છે. આ વિવાદમાં રાત્રે દિલ્હી દરવાજા પાસે કિન્નર નીતુ દેએ ફાયરિંગ કર્યું હતું. હાલ ક્રાઈમ બ્રાન્ચે નીતુ દેની અટકાયત કરીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, નીતુ દે અને ભાવના દેની ગેંગ વચ્ચે ચાલતી દુશ્મનાવટ મામલે સરખેજ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/2NsLJuU

No comments:

Post a Comment

Pages