Latest

Sunday, June 28, 2020

સુશાંતના મોત મામલે 27 લોકોની થઈ પૂછપરછ, મુંબઈ પોલીસે આપ્યું મહત્વનું નિવેદન

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું. સુશાંતના મોત બાદથી બોલિવુડમાં નેપોટિઝમ અને ફેવરિટઝમની ચર્ચાએ જોર પકડ્યું છે. સુશાંતના એકાએક નિધનથી હતાશ થયેલા ફેન્સને ટેલેન્ટેડ એક્ટરના મોત પાછળ કાવતરું હોવાની શંકા છે. સુશાંતે આત્મહત્યા નથી કરી અને તેનું મર્ડર થયું છે તેવા દાવા સાથે ફેન્સ અને અન્ય કેટલાક લોકો CBI તપાસની માગ કરી રહ્યા છે. હાલ તો મુંબઈ પોલીસ આ કેસની તમામ બાજુથી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે 27 લોકોના નિવેદન નોંધ્યા છે. શનિવારે રાત્રે મુંબઈ પોલીસે આ કેસની તપાસ વિશે જાણકારી આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ઝોન 9ના ડેપ્યુટી કમિશનર અભિષેક ત્રિમુખેએ મીડિયાને જણાવ્યું, “સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં બાંદ્રા પોલીસે અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા છે. અમને વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે અને ડૉક્ટરોએ સ્પષ્ટપણે લખ્યું છે કે, લટકવાના કારણે શ્વાસ રુંધાઈ જતાં મોત થયું છે.” સુશાંતના મોત બાદ ધીરજ ગુમાવી રહેલા લોકોને ખાતરી આપતાં DCP ત્રિમુખેએ કહ્યું, “સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે અમે દરેક પાસા ચકાસી રહ્યા છીએ. વિશ્વાસ રાખો હકીકત બહાર આવશે.”

જણાવી દઈએ કે, સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, સુશાંતનો ફ્રેન્ડ અને પ્રોડ્યુસર સંદીપ સિંહ સહિતના લોકોની પોલીસે આ મામલે પૂછપરછ કરી છે. આ સિવાય હાલમાં જ યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્માની પણ પોલીસે પૂછપરછ કરી છે. આ ઉપરાંત સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-એક્ટ્રેસ સંજના સાંઘીને પણ મુંબઈ પોલીસે પૂછપરછ માટે બોલાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાંદ્રા પોલીસે સોમવારે સંજનાને પૂછપરછ માટે બોલાવી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3i9weWP

No comments:

Post a Comment

Pages