અમદાવાદ: સીમકાર્ડ વેચનાર ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલરને ખરીદદારના આવશ્યક ડોક્યુમેન્ટસ મેળવવા અને ત્રણ વર્ષ સુધી સાચવી રાખવા પોલીસ કમિશનરે આદેશ કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ અને ગુજરાતમાં આતંકી ગતિવિધિઓની ભીતિથી પોલીસે સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિના પૂરતાં ડોક્યમેન્ટસ રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. આમ હવેથી ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલરને પણ જવાબદાર ગણીને કાર્યવાહી થઈ શકે તેવું સુધારા જાહેરનામું અમદાવાદ શહેર પોલીસે બહાર પાડ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ પોલીસ કમિશનરે જાહેરનામામાં જણાવ્યું છે કે, ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમો, મોબાઈલ ફોન ચોરી, મિલકત સંબંધી કે અન્ય કારણોસર ધમકી આપવાના ગુનામાં મોબાઈલ સીમકાર્ડનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના અનેક ગુના દાખલ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ કરીને ઈ-કોમર્સનું ચલણ વધી રહ્યું છે. સાયબર ક્રાઈમમાં પણ મોટાભભાગના સીમકાર્ડ ખોટા નામ અને એડ્રેસના આધારે ગુનેગારો દેશના કોઈપણ ખૂણેથી અપરાધને અંજામ આપતા હોય છે.
જેથી ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલરને સીમકાર્ડ ખરીદનાર વ્યક્તિની આઇડેન્ટિટી અને એડ્રેસના પૂરાવાઓની બરાબર ચકાસણી કરવાની રહેશે. રિટેલર અને ડિસ્ટ્રીબ્યુટરે જેમને સીમકાર્ડ વેચ્યું હોય તેમના નામ-સરનામાની માહિતી એક્સેલ ફોર્મેટમાં 3 વર્ષ સુધી સાચવીને રાખવાની રહેશે. આ પુરાવાની હાર્ડકોપી કાઢીને રેકોર્ડમાં રાખવાની રહેશે. આ દરમિયાન ડેટાની ચોરી, ડેટા લોસ કે કરપ્ટ ન થાય તેની જવાબદારી પણ ડિસ્ટ્રિબ્યુટર અને રિટેલરની જ રહેશે. સીમકાર્ડના દરેક ખરીદદારના દસ્તોવેજના પુરાવાની માહિતીનું રજિસ્ટર રાખવાની અને નિભાવણી કરવાની રહેશે. આ સુધારેલું જાહેરનામું 11 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2YOu8CX
No comments:
Post a Comment