વીડિયો સૌજન્યઃ ફેસબુક પોલીસ પરિવાર
અમદાવાદઃ જીવલેણ કોરોના વાયરસે ફ્રન્ટલાઈન વોરિયર્સને પણ સકંજામાં લીધા છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને પણ કોવિડ 19નો ચેપ લાગ્યો હતો. જો કે, તેઓ હિંમતથી આ લડાઈ લડ્યા અને સ્વસ્થ થઈને ફરજ પર પરત ફર્યા. શુક્રવારે જ્યારે તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમના સાથી કર્મચારીઓએ ફૂલો વરસાવીને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
300 જેટલા પોલીસકર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, જેમાંથી 80 હજુ પણ એક્ટિવ કેરિયર છે. સ્વસ્થ થયેલા પોલીસકર્મીઓમાં 57 વર્ષીય રણજીતસિંહ વાઘેલા પણ સામેલ છે, જેઓ પોલીસ સ્ટેશનના સર્વિલાન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી વખતે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા.
મીડિયા સાથે વાતચીત કરતાં વાઘેલાએ કહ્યું કે, કોવિડ 19 વાયરસથી ડરવાની જરૂર નથી. ‘કેટલીક સાવચેતી રાખો, ડોક્ટરોની સલાહનું કડક રીતે પાલન કરો તેમજ ગરમ પાણી અને હળદરવાળું દૂધ પીશો તો જલ્દી સાજા થઈ જશો’, તેમ તેમણે કહ્યું.
થોડા સમય પહેલા આ જ પોલીસ સ્ટેશનમાં કામ કરતાં બે પોલીસકર્મીઓનું કોવિડ 19ના કારણે નિધન થયું હતું. પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર ભરતસિંહ ઠાકોરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને 17 મેના રોજ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 18 મેના દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તેમના નિધનના થોડા દિવસ બાદ આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગિરીશભાઈ બારોટનું 24 મેના દિવસે નિધન થયું હતું. તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આપને જણાવી દઈએ કે, બાપુનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. તાઈવાડ અને અન્ય 5 પોલીસકર્મીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2AJ91tk
No comments:
Post a Comment