Latest

Saturday, June 6, 2020

ભારત-ચીન વચ્ચે આજે મહત્વપૂર્ણ સૈન્ય કમાન્ડર્સની બેઠક, શું વિવાદનો આવશે અંત?

આજે ભારત-ચીનના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠક

નવી દિલ્હીઃ પૂર્વ લદાખમાં લગભગ એક મહિનાથી ચાલતા સરહદ વિવાદની વચ્ચે ભારત અને ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીત આજે યોજાવાની છે. લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ તેમના સમકક્ષ ચીની મેજર જનરલ લિયુ લિન સાથે મળીને એક્યુઅલ કંટ્રોલ (એલએસી) પર આ મડાગાંઠનો અંત લાવવાનો રસ્તો શોધી શકશે. આ બેઠક ભારત-ચીન સરહદ નજીકના ચૂશુલ મોલ્ડો ખાતે યોજાશે. આ બેઠકમાં બંને દેશો સિવાય વિશ્વના શક્તિશાળી દેશોની નજર પણ કેન્દ્રિત છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે શું આ વિવાદ પૂરો થશે? આ બેઠક પર દુનિયા આખીની નજર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ પહેલા પણ બેઠકો થઈ છે

આ વિવાદના સમાધાન માટે સ્થાનિક કમાન્ડર, પ્રતિનિધિ મંડળ અને હાઇએસ્ટ કમાન્ડર સ્તરની લગભગ 12 રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર સમાધાન મળ્યું નથી. આ વિવાદ સમાપ્ત થવાની આશા હજુ પણ છે, કારણ કે શુક્રવારે બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચે પહેલીવાર વાતચીત થઈ હતી. સંયુક્ત સચિવ-સ્તરની ચર્ચામાં બંને દેશોએ એકબીજાની લાગણીઓને માન આપતા વિવાદોના સમાધાન પર ભાર મૂક્યો હતો.

બેઠકનો એજન્ડા શું હશે?

સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારની બેઠક પહેલા લેખિતમાં એજન્ડા શેર કરાય છે. બેઠકમાં એ એજન્ડા પર વાત થાય છે અને આ સિવાય જો કોઈ પક્ષ કોઈ અન્ય મુદ્દો ઉઠાવવા માંગે છે તો તે વાત કરી શકે છે. શનિવારે યોજાનારી આ બેઠકમાં ગલવાન વિસ્તાર, પેંગોગ ત્સો અને ગોગરા એરિયા પર વાત થશે.

ફિંગર-4 રહેશે સૌથી મહત્વનો મુદ્દો

સૌથી મહત્વનો મુદ્દો પેંગોગ ત્સોનો રહેશે જ્યાં ચીની સૈનિકો ફિંગર -4 પર આવી ગયા છે, જ્યારે બંને દેશો વચ્ચેના કરાર મુજબ સૈનિકો ગ્રે ઝોન (જ્યાં ભારત અને ચીન બંને દાવો કરે છે)માં પેટ્રોલિંગ કરી શકે છે, પરંતુ ત્યાં કોઈ માળખું ઉભું કરી શકતા નથી અથવા ત્યાં તંબુ તાણી શકતા નથી.

ભારત તરફથી શું હશે પ્રસ્તાવ?

એવી પણ ચર્ચા છે કે ભારતીય પક્ષ તરફથી પેંગોગ ત્સો, ગલવાન ખીણ પ્રદેશ અને દેમચોકમાં તણાવને ઓછો કરવા માટે એક વિશિષ્ટ પ્રસ્તાવ આપવામાં આવી છે. આ પૂર્વ લદ્દાખના એ ક્ષેત્રો છે. જ્યાં બંને દેશો વચ્ચે પાછલા એક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. સૌથી મુખ્ય મુદ્દો પેંગોગ ત્સોનો રહેશે જ્યાં ચીની સૈનિક ફિંગર-4 સુધી આવી ગયા છે. બેંને દેશો વચ્ચે થયેલી સમજૂતીના આધારે ગ્રે ઝોન વિસ્તારમાં સૈનિકો પેટ્રોલિંગ કરી શકે છે. પરંતુ કોઈ સ્ટ્રક્ચર ઉંભુ કરી શકતા નથી કે ન તો ત્યાં સ્થાયી થઈ શકે છે. ચીને આ સમજૂતીનું ઉલ્લંઘન કરતા ત્યાં ખૂબ મોટી સંખ્યામાં સૈનિકોનો જમાવડો કર્યો છે. ત્યારે ભારતીય પક્ષ તમામ વિસ્તારોમાં યથાસ્થિતિમાં પરત ફરવા પર જોર આપી શકે છે.

ચીને વેસ્ટર્ન કમાન્ડના નવા અધિકારી નિમણૂંક કર્યા

આ વચ્ચે ચીન-ભારત સરહદ પર ચીને પોતાના વેસ્ટર્ન કમાન્ડના નવા કમાંડરની નિયુક્તિ કરી છે. ચીન તરફથી આ પગલું તેવા સમયે લેવાયું છે જ્યારે ભારત અને ચીન ઉચ્ચ સૈન્ય અધિકારીઓ વચ્ચે આ વિવાદના હલ માટે બેઠક કરવા જઈ રહ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન કમાન્ડે પોતાની સત્તાવાર વેબસાઈટ પર આ અંગે જાહેરાત કરી છે કે લે. જનરલ શૂ કિલિંગને તેમના સરહદી દળોના નવા કમાંડર નિયુક્ત કરવામાં આવ્યા છે.

સરહદ પર ચીનને આક્રમક જવાબ

ગત મહિને ચીન સરહદ પર વિવાદ શરું થયા બાદ ભારતીય સેનાના પણ નિર્ણય કર્યો કે તેઓ પણ ભારતીય સૈનિકોને પેંગોંગ ત્સો, ગલવાન ખીણ પ્રદેશ, દેમચોક અને દૌલત બેગ ઓલ્ડી સહિત મામ વિવાદિત વિસ્તારોમાં ચીનને જવાબ આપવા માટે આક્રમક રસ્તો જ અપનાવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીને સેનાએ પેંગોંગ ત્સો અને ગલવાન ખીણ પ્રદેશમાં 2500 સૈનિકોની તહેનાત કર્યા છે. સાથે અસ્થાયી તંબૂઓ અને મોટી સંખ્યામાં હથિયારોનો સંગ્રહ તૈયાર કરી રાખ્યો છે. જેના જવાબમાં ભારતે પણ પોતાના વધારાના નવા સૈનિકો અને બોફોર્સ તોપ મોકલીને પોતાની સ્થિતિને મજૂબ કરી છે.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/2BxDrPC

No comments:

Post a Comment

Pages