સુરતઃ શહેરની વર્ષો જૂની આંગડીયા પેઢીએ કરોડો રૂપિયાનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા હીરા બજારમાં ફેલાતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં હડકંપ મચી ગયો છે. ગુરુવારે સુરત, મુંબઈ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને અન્ય જગ્યાએ આવેલી ઓફિસો બંધ કરીને તેના માલિકો ભૂગર્ભમાં જતા રહેતા આ અટકળો શરૂ થઈ છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આંગડીયા પેઢીની હેડ ઓફિસ શહેરના ભવાની વાડ વિસ્તારમાં આવેલી છે. 400 કરોડ રૂપિયામાં આંગડીયા પેઢીએ ઉઠામણું કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘણા વેપારીઓ અને દલાલોની મોટી રકમ આ પેઢીમાં ફસાઈ છે.
બે દિવસ પહેલા, આંગડીયા પેઢીના માલિકે મહેસાણામાં આત્મહત્યા કરી લીધી હોવાની અફવા ડાયમંડ માર્કેટમાં ઉડી હતી.
ઉદ્યોગ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પેઢી છેલ્લા 6 દશકાથી ચાલી રહે છે. તે સુરત, મુંબઈ, ભાવનગર, રાજકોટ, મહેસાણા, અમરેલી અને ભાવનગરની વચ્ચે કેશ ટ્રાન્સફર અને ડાયમંડ તેમજ જ્વેલરી જેવી મૂલ્યવાન વસ્તુઓનું ટ્રાન્સશિપમેન્ટ કરે છે.
નામ ન જણાવવાની શરતે સુરત ડાયમંડ અસોસિએશન (SDA)ના એક પદાધિકારીએ કહ્યું કે, ‘ચર્ચામાં આવેલી આ પેઢી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ ધરાવે છે અને તેની સાથે નાના-મોટા ઘણા હીરા ઉદ્યોગપતિઓ જોડાયેલા છે. કોરોના વાયરસના કારણે હીરા ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે ત્યારે આ સમાચાર આંચકા સમાન છે’.
from Page Array – I Am Gujarat https://ift.tt/3fvG3fI
No comments:
Post a Comment