દાદીએ પૌત્રને આપ્યું જીવનદાન

ઉમેશ ઇશાલકર, પુણેઃ ગત 27મે ના રોજ પુણે શહેરમાં કોરોના મહામારી વચ્ચે મેડિકલ ક્ષેત્રે ડોક્ટર્સે એક વિશેષ સફળતા મળી છે. માત્ર 5.8 કિલો વજન ધરાવતા 7 મહિનાના બાળકનું સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરીને તેને નવું જીવન આપવામાં આવ્યું હતું. આ સાથે જ આ શિશુ પુણેમાં સૌથી નાની ઉંમરે લિવર ટ્રાન્સપ્લાન્ટ જેવી જટીલ સર્જરી હેઠળ પસાર થનાર દર્દી બન્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
પુણેમાં 7 મહિનાના બાળકની જટીલ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
જન્મના ચાર મહિના પછી બાળકને ટાયરોસિનેમિયા નામનો એક મેટાબોલિક ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું. ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ગૌરવ ચૌબલે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘બાળકના લિવરનું ફંક્શન છેલ્લા 15 દિવસથી સતત બગડી રહ્યું હતું. જેના કારણે બાળક લિવલ ફેલ્યોર તરફ આગળ વધ્યો હતો.’ લીવર ટ્રાન્સપ્લાટની ખૂબ જ જટીલ સર્જરી માટે ડોક્ટર્સે બાળકના પરિવારનું બ્લડગ્રુપ મેચ કર્યું હતું જેમાં તેના 47 વર્ષના દાદીનું બ્લડગ્રુપ ટ્રાન્સપ્લાન્ટ માટે ખૂબ જ બેસ્ટ હોવાનું સામે આવ્યું હતું. જેથી દાદીએ પોતાના લિવરમાંથી 120 ગ્રામનો એક ભાગ પોતાના 7 મહિનાના પૌત્રને દાન આપ્યો હતો. આ ઓપરેશન પહેલા એક મહિનાથી બાળકને સપોર્ટિવ ટ્રિટમેન્ટ પર રાખવામાં આવ્યો હતો.
દાદીનું બ્લડગ્રુપ મેચ થતા કરાઈ આ સર્જરી

ડોક્ટર્સના જણાવ્યા મુજબ સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન બાદ બાળકના શરીરે ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ આપ્ોય હતો અને 10 જૂને તમામ રિપોર્ટ સારા હોવાથી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ડોક્ટર્સે કહ્યું કે ‘6 મહિનાના બાળકમાં સામાન્ય રીતે તેના શરીરના વજનના 3જા ભાગ જેટલું વજન લિવરનું હોય છે. જે સામાન્ય રીતે 200 ગ્રામનું હોય છે. અમે બાળકના ખરાબ લિવરનો ભાગ કઢી નાખ્યો અને તેની જગ્યાએ તેના દાદીના સ્વસ્થ લિવરનો ભાગ લગાવવામાં આવ્યો જેનું વજન 120 ગ્રામ જેટલું હતું. આરોગ્યની દ્રષ્ટીએ ખૂબ જ હેલ્ધી તેના દાદી પાસેથી લેવામાં આવેલ આ લિવર એક ચીકુની સાઇઝ જેટલું હતું. શહેરમાં આ પ્રકારની સર્જરી મેળવનાર આ બાળક સૌથી નાની ઉંરનો છે. ‘
12 કલાક ચાલ્યું ઓપરેશન
લિવર ટ્રાન્સપ્લાન્ટની આ સર્જરી ખૂબ જ કોમ્પ્લેક્સ હોવાથી અંદાજે 12 કલાક જેટલો સમય તેને કરવામાં થયો હતો. બાનેરમાં આવેલ જ્યુપિટર હોસ્પિટલના સર્જન ડો. ચૌબલ અને તેમની ટીમે આ ઓપરેશન કર્યું હતું. જેવું દાદીનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું કે થોડા જ સમયમાં બાળકના શરીરે તેને અપનાવવાનું શરું કરી દીધું હતું.
બાળક અને દાદી બંને સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી અપાઈ રજા

આ ટીમના બીજા એક સભ્ય ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. આદિત્ય નાણાવટી, ડો. અપૂર્વા દેશપાંડે, ડો. હુનૈદ હાતિમી અને ડો. સૂર્યભાન ભાલેરાવ હતા. જ્યારે બાળકના આરોગ્ય પર સંપૂર્ણ ધ્યાન બાળ રોગ નિષ્ણાંત ડો. વિષ્ણુ બિરાદર અને ડો. પવન હંચાનલે રાખ્યું હતું. જ્યારે કોઈ જીવતો વ્યક્તિના લિવરનું દાન આપે છે ત્યારે તેના લિવરનો એક ભાગ કાઢીને તેને દર્દીના ખરાબ લિવરની જગ્યાએ ફીટ કરવામાં આવે છે. આ સર્જરી બાદ થોડા સમય પછી ડોનરનું લિવર ફરી પોતાના મૂળભૂત સ્વરુપે આવી જાય છે. જ્યારે દર્દીના શરીરમાં ફિટ કરવામાં આવેલ નવું લિવર પણ નોર્મલ સાઈઝનું બની જાય છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/37SgjaQ
No comments:
Post a Comment