Latest

Tuesday, June 30, 2020

આજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી દેશને સંબોધિત કરશે, કયા મુદ્દા પર કરશે વાત?

આજે વડાપ્રધાન કરશે સંબોધન

આજે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરવાના છે. વડાપ્રધાનના સંબોધન સાથે આજે અનલોક-2 વિષય, ચીન કે પછી દેશના અર્થતંત્રના વિષયમાં ચર્ચા કરશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અનલોક 2.0 અંગે દિશાનિર્દેશ જારી કરવામાં આવ્યા છે. દેશમાં એક તરફ કોરોના વાયરસના કેસનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ગલવાન વેલીમાં હિંસક ઝપાઝપી પછી તણાવની સ્થિતિ યથાવત.

મન કી બાતમાં કરી હતી વાત

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને સંબોધિત કરીને કોરોનાથી લઈને તોફાન, તીડનો હુમલો, લદ્દાખમાં શહીદ થયેલા જવાનોનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન કહ્યું હતું, કે ઇતિહાસ સાક્ષી છે કે ભારત હજારો વર્ષોથી આક્રમણો સહન કરે છે, પણ ભારત દર વખતે તેમાંથી બહાર આવ્યું. ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે લદ્દાખમાં ભારત તરફ આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળ્યો છે.

આ મુદ્દાનો થઈ શકે છે ઉલ્લેખ

કોરોનાના સમયમાં આગામી સમયમાં દેશે કઈ રીતે તેનો સામનો કરવો. દેશની આર્થિક ગાડીને પાટા પર લાગવવા માટે કેવા પગલા ભરવા જેવા મુદ્દા પર વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં વાત કરી શકે છે. આ સાથે જે વિસ્તારોમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. આ દિશામાં પણ કોરોના વાયરસના વધતા કેસને અટકાવવા માટે મહત્વના પગલા ભરવા અંગે પણ વડાપ્રધાન વાત કરી શકે છે.

ભારતમાં વધી રહ્યા છે કેસ

પ્રતિકાત્મક તસવીર

દુનિયાની જેમ ભારતમાં પણ કોરોના વાયરસની મહામારીની ખરાબ હાલત છે. દુનિયના દેશોમાં કોરોના સક્રમણના લિસ્ટમાં ભારત ચોથા સ્થાન પર આવે છે, અહીં કોરોના વાયરસના કેસનો આંકડો 5.6 લાખ પર પહોંચી ગયો છે.

ચીનની 59 એપ પર પ્રતિબંધ

ચીન સાથેના સરહદ પરના તણાવ વચ્ચે, ભારતમાં ચીન પ્રત્યે ગુસ્સો ભભૂકી રહ્યો છે. આ સાથે ભારતમાં ઠેર-ઠેર ચીનના સામાનનો બહિષ્કાર થઈ રહ્યો છે. આવામાં ભારત સરકારે 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને સુરક્ષાનો મામલો માનવામાં આવી રહ્યો છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3dInFyH

No comments:

Post a Comment

Pages