Latest

Monday, June 8, 2020

A બ્લડ ગ્રુપવાળા માટે કોરોના વધારે જોખમી સાબિત થઈ શકે છેઃ રિસર્ચ

કોરોના વાયરસ અને તેનું જોખમ

દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે લડવા માટે તમામ પ્રયાસની સાથે તેની રસી બનાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કોરોના વાયરસ પર અનેક રિસર્સ પણ કરવામાં આવી રહ્યા છે. કેટલાક રિસર્ચ કોરોનાનો ચેપ લાગવાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે.

રિસર્ચમાં સામે આવી મોટી વાત

હવે કોરોના વાયરસ ફેલાવા અંગે વ્યક્તિના ડીએનએ પર પણ તપાસ કરાઈ છે. આનુવંશિક વૈજ્ઞાનિક આ અંગે તપાસ કરી રહ્યા છે. આ વિષયમાં યુરોપમાં ડીએનએ અને કોરોના વચ્ચેના સંબંધ પર પ્રથમ અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમ બ્લડ ગ્રુપ પ્રમાણે કોરોનાનો ચેપ લાગવાની સંભાવના અંગે પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.

A બ્લડ ગ્રુપવાળા માટે વધારે જોખમી

આ અભ્યાસમાં સાબિત થયું કે A બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને અન્ય લોકોની સરખામણીમાં કોરોના વાયરસનો ચેપ લાગવાનો ખતરો વધારે છે. આ અભ્યાસમાંથી મળેલા તારણોના આધારે વૈજ્ઞાનીકોએ જણાવ્યું કે આ રિસર્ચ રિપોર્ટના આધારે વાયરસની દવા બનાવવામાં મદદ મળી શકે છે. આ સ્ટડીમાં સંકળાયેલા એન્ડ્રે ફેન્ક જર્મનીની કાઈલ યુનિવર્સિટીમાં કામ કરી રહ્યા છે. આ સંશોધનમાં કુલ 1610 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા છે, જેઓને ઓક્સિજનની જરુર હતી અથવા તો પછી તેઓ વેન્ટિલિટર પર જવાના હતા. જેના પર તપાસ માટે ડૉક્ટર ફ્રન્ક અને તેમના સાથીઓ દ્વારા આ સેમ્પલના ડીએનએ કાઢવામાં આવ્યા અને જીનોટાઈપિંગ ટેક્નિકથી તેમને સ્કેન કરવામાં આવ્યા.

દવા બનાવવામાં થશે ઉપયોગી?

આ સાથે દર્દીઓનો જીનેટિક લેટર્સની પણ તપાસ કરાઈ હતી. આ સ્ટડીમાં જાણવા મળ્યું કે વધતી ઉંમર સાથે કોરોનાનો ખતરો વધી જાય છે. આ સ્ટડીના આધારે વૈજ્ઞાનિકોને જીન દવા બનાવવામાં ખાસ મદદ મળી શકે છે. આ સ્ટડીમાં સાબિત થયું કે જેમનું બ્લડ ગ્રુપ A છે અને તેમને કોરોના થાય છે તો તેમને ઓક્સિજન પર કે વેન્ટિલેટર પર મૂકવાની શક્યતા 50% હોય છે. કોરોના વાયરસ પ્રોટીનથી જોડાયેલો છે, જેને ACE2 કહેવાય છે.

ફેફસાની સાથે મગજ પર અસર

કોરોના વાયરસ પર થઈ રહેલા સ્ટડીમાં એ વાત પણ જાણવા મળી છે કે વાયરસ ફેફસા પર બહુ જ ખરાબ અસર કરે છે અને પછી તેની અસર મગજ પર થાય છે. આના ઉપર યેલ સ્કૂલ ઓફ મેડિસિનના ન્યૂરોલોજી અને ન્યૂરો સર્જન વિભાગના પ્રાધ્યાપક ડૉ. કેવીન શેઠ જણાવે છે કે, કોરોનાના કારણે ફેફ્સા પર ખરાબ અસર થાય છે અને પછી ઓક્સિજન ઓછો મળવાથી તેની અસર મગજ પર પડે છે જેના કારણે દર્દીને બ્રેઈન સ્ટ્રોક આવવાની સાથે લકવા થવાના પણ કેસ સામે આવી રહ્યા છે.

 



from Page Array – I Am Gujarat https://ift.tt/3eY9uGX

No comments:

Post a Comment

Pages