Latest

Monday, June 8, 2020

અમદાવાદમાં યુવકનું મોત, લોકડાઉનના લીધે પરિવાર ના આવી શકતાં ફેક્ટરી માલિકે કરી અંતિમક્રિયા

પોલ જ્હોન, અમદાવાદ: મૃત્યુએ 27 વર્ષીય સંતોષ કુમાર સ્વેનને પરિવારથી અલગ કરી દીધો. લોકડાઉનના કારણે સંતોષ કુમારનો ઓડિશામાં રહેતો પરિવાર છેલ્લીવાર તેનો ચહેરો જોવા પણ ના આવી શક્યો. સંતોષના બોસ અનુપ પટેલે તેને અંતિમ વિદાય આપી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

37 વર્ષીય અનુપ પટેલ દહેગામના ઝાક ગામમાં આવેલી એક ખાનગી પેકેજિંગ કંપનીના સહ-માલિક છે. લોકડાઉનના કારણે સંતોષનો પરિવાર ઓડિશાના કટકથી ના આવી શક્યો જેના કારણે અનુપ પટેલે તેની અંતિમક્રિયા કરી હતી. છેલ્લા છ દિવસ અનુપ પટેલ માટે ખૂબ કપરા હતા. અનુપના જણાવ્યા મુજબ, તેમની ફેક્ટરીના કુશળ કારીગરોમાંથી એક સંતોષ હતો. 1 જૂનની રાત્રે તે બેભાન થઈ હતો. જે બાદ સંતોષને ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

પ્રાથમિક નિદાનમાં સંતોષને ઓલ્ટર્ડ સેન્સોરિયમ (Altered Sensorium) હોવાનું જાણવા મળ્યું હતું. આ એક એવી સ્થિતિ જેમાં વ્યક્તિ વારંવાર બેભાન થઈ જાય. જો કે, થોડા જ સમયમાં સંતોષની તબિયત કથળી અને તેને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં મેડિકલનો અભ્યાસ કરતાં કઝિન સાથે વાત કર્યા પછી અનુપ પટેલે ગાંધીનગરની બીજી બે હોસ્પિટલોનો સંપર્ક કર્યો હતો.

સંતોષનું CT સ્કેન કર્યા પછી ડૉક્ટરોએ કહ્યું કે, ન્યૂમોનિયાનો પેચ હોવાથી તેને વેન્ટિલેટરની જરૂર છે એટલે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવો પડશે. અનુપ પટેલ સંતોષ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને વેન્ટિલેટરવાળો બેડ તેના માટે બુક કરાવ્યો. વેન્ટિલેટરવાળા બેડની સુવિધા માત્ર કોવિડ વોર્ડમાં જ ઉપલબ્ધ હતી. પટેલે કહ્યું, “અમારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો કારણકે તેને વેન્ટિલેટરની તાતી જરૂર હતી.”

અનુપ પટેલે જણાવ્યું, “સંતોષને લિવરની સમસ્યા પણ હતી. કોવિડ-19ના વોર્ડમાં વિતાવેલી ક્ષણો મારા જીવનની સૌથી તણાવમાં વિતેલી ક્ષણો હતો. પરંતુ ત્યાં હું સંતોષનો એકમાત્ર પરિવાર હતો. મારી તેની સાથે રહેવું જ પડે તેવું હતું.” 5 જૂને સંતોષનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેના બીજા જ દિવસે સવારે 11 વાગ્યે તેનું મોત થયું.

અનુપ પટેલે કહ્યું, “એકપણ એરલાઈન તેનો મૃતદેહ લઈ જવા તૈયાર ના થઈ. ટ્રેનનો તો સવાલ જ નથી. બીજી તરફ તેનો પરિવાર ચિંતાતુર થયો હતો. તેના પાર્થિવ દેહને મોકલવાનો એકમાત્ર વિકલ્પ બાય રોડ હતો. જો કે, આ મુસાફરી 40 કલાક લાંબી થાય. માટે જ મેં તેના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો. દૂધેશ્વર સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.”

રવિવારે બપોરે સંતોષના પરિવારે વિડીયો કૉલના માધ્યમથી તેના અંતિમ દર્શન કર્યા. અનુપ પટેલે કહ્યું, “સંતોષ અને તેનો ભાઈ ઓડિશાથી અમારા ત્યાં કામ કરવા આવ્યા હતા. બંને મારા માટે પરિવાર જેવા છે. મેં વિશ્વાસપાત્ર અને વફાદાર કર્મચારી ગુમાવ્યો છે.”



from Page Array – I Am Gujarat https://ift.tt/2BKgkBB

No comments:

Post a Comment

Pages