અમદાવાદ: સરકારી હોસ્પિટલોમાં હવે જગ્યા ના રહેતા કોરોનાના દર્દીઓ માટે કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલો સંપાદિત કરાઈ છે. જોકે, આ હોસ્પિટલોમાં પણ કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવેલા દર્દીઓને એડમિટ કરવામાં ધાંધિયા થતાં હોવાની અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે. તેવામાં શહેરની અર્થમ હોસ્પિટલમાં એક નવો જ કાંડ સામે આવતા કોર્પોરેશને હોસ્પિટલને નોટિસ ફટકારી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
પ્રાપ્ત વિગતો અનુસાર, પાંજરાપોળ વિસ્તારમાં આવેલી અર્થમ હોસ્પિટલના 90 પૈકી 45 બેડ કોર્પોરેશન દ્વારા સંપાદિત કરાયા છે. આ બેડ પર કોર્પોરેશને મોકલેલા દર્દીઓની સારવાર કરાય છે. જો બેડ ખાલી હોય તો પણ તેનો નિશ્ચિત ચાર્જ AMC હોસ્પિટલને ચૂકવે છે. જોકે, તંત્ર પાસેથી ખાલી બેડના પણ રુપિયા વસૂલતી આ હોસ્પિટલમાં કોર્પોરેશન દ્વારા સંપાદિત કરાયેલા બેડમાં ખાનગી દર્દીને એડમિટ કરાયા હોવાનું સામે આવ્યું છે.
કોર્પોરેશનના આસિસ્ટન્ટ પ્રોફેસરના રિપોર્ટ અનુસાર, હોસ્પિટલે પોતાના 51 દર્દીઓ એડમિટ કરેલા હતા, અને તેમાંના છ દર્દીઓને કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયેલા બેડ પર સારવાર અપાઈ રહી હતી. આમ, આ બેડનો હોસ્પિટલ દર્દી ઉપરાંત કોર્પોરેશન પાસેથી પણ ચાર્જ વસૂલી રહી હતી તેમ રિપોર્ટમાં જણાવાયું છે. એટલું જ નહીં, 4 જૂનના રોજ SVP હોસ્પિટલમાંથી એક દર્દીને અર્થમમાં શિફ્ટ કરવા જણાવાયું ત્યારે બેડ ખાલી ના હોવાનું કહી તેમને એડમિટ કરવા ઈનકાર કરી દેવાયો હતો.
એક તરફ હોસ્પિટલે બેડ ખાલી ના હોવાનું બહાનું કાઢ્યું હતું તો બીજી તરફ આસિસ્ટન્ટ પ્રોફેસરના રિપોર્ટ અનુસાર AMCના રિઝર્વ્ડ બેડ પૈકીના 29 તેમજ સ્વખર્ચે દાખલ થતા દર્દીઓ માટેના 16 બેડ ખાલી હતા. તેમ છતાંય હોસ્પિટલે માહિતી છૂપાવી તંત્રને ગેરમાર્ગે દોર્યું હતું. કોર્પોરેશને આ અંગે હોસ્પિટલને નોટિસ ફટકારી રજિસ્ટ્રેશન કેન્સલ કેમ ના કરવું તેવો ખુલાસો પૂછ્યો છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/30dskWr
No comments:
Post a Comment