Latest

Thursday, June 18, 2020

સુશાંતના મોતથી ઊંડા આઘાતમાં છે આ એક્ટર, કહ્યું- ‘લોકડાઉન પછી અમે મળવાના હતા પણ..’

એક્ટર બન્યા એ પહેલાથી સુશાંત સાથે મિત્રતા હતી

એક્ટર તબરેઝ ખાન સુશાંત સિંહ રાજપૂતના નિધનથી ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. તબરેઝ સુશાંતને છેલ્લા 14 વર્ષથી ઓળખતો હતો. એવામાં તે સ્વીકારી નથી શકતો કે તેના મિત્રએ જીવન ટૂંકાવી લીધું છે. તબરેઝે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “અમે એક્ટર બન્યા તે પહેલાથી મિત્રો હતા. જ્યારે એક કોમન ફ્રેન્ડે અમારી મુલાકાત કરાવી ત્યારે અમે એક્ટર બનવાનું વિચાર્યું પણ નહોતું. એ દિવસોમાં સુશાંત થિયેટરમાં વ્યસ્ત હતો અને હું મોડલિંગમાં. અમે પહેલી મુલાકાતથી જ મિત્રો બની ગયા હતા. એક્ટિંગમાં સાથે કરિયર શરૂ કરવું જાણે અમારા નસીબમાં લખાયેલું હતું.”

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

‘મને ભાઈ માનતો હતો અને મારી મમ્મી એને દીકરો’

તબરેઝે આગળ કહ્યું, “અમે સીરિયલ કિસ દેશ મેં હૈ મેરા દિલથી સાથે એક્ટિંગની શરૂઆત કરી હતી. અમે મિત્રો નહીં ભાઈઓ જેવા હતા. મારી મમ્મી માટે તે દીકરા જેવો હતો. તેને નાની-નાની વાતમાં ખુશી મળતી હતી. મને યાદ છે કે કાર ખરીદવાનું તેનું સપનું પૂરું થયું ત્યારે તે ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં કામ કરતો હતો. તેની કાર ખરીદવાની ખુશી અમે એક મહિના સુધી ઉજવી હતી. અમે દુનિયાની ચિંતા કર્યા વિના પાર્ટી કરતા અને ગાડીમાં ફરતા હતા. અમે ક્યારેય છૂટા પડ્યા નહોતા. થોડા વર્ષો પહેલા સુધી અમે રોજ મળતા હતા. બોલિવુડમાં ડેબ્યૂ કર્યા પછી ફિલ્મો સફળ રહી છતાં તેનો સ્વભાવ જરાય બદલાયો નહોતો. તેણે મને શુદ્ધ દેસી રોમાન્સ, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી જેવી ફિલ્મોના સેટ પર મળવા પણ બોલાવ્યો હતો. દરેકની સાથે મારી ઓળખાણ પોતાના ભાઈ તરીકે કરાવી હતી.”

લોકડાઉન પછી અમે મળવાના હતા: તબરેઝ

તબરેઝે છેલ્લે 12 દિવસ પહેલા એક્ટર સાથે વાત કરી હતી. તબરેઝે કહ્યું, “અમારી વચ્ચે સામાન્ય વાતચીત જ થઈ હતી. તેણે કહ્યું હતું ચાલ મળીએ. અમે એક અઠવાડિયાની અંદર મળવાનું પણ નક્કી કર્યું હતું. મેં મેસેજ સિવાય ફોન પર પણ તેની સાથે વાત કરી હતી અને તેના અવાજ પરથી એકદમ બરાબર લાગતો હતો. જો કે, તેણે ક્યારેય કોઈને ખબર ના પડવા દીધી કે તેની અંદર શું ચાલી રહ્યું છે. હું હંમેશા તેને પ્રેમાળ, ઉદાર અને સૌમ્ય વ્યક્તિ તરીકે યાદ રાખીશ. હું હજી આઘાતમાં છું કે તેણે આવું પગલું ભરી લીધું. કમનસીબે લોકડાઉનના કારણે છેલ્લા થોડા મહિનાઓમાં અમે મળી ના શક્યા.”

સુશાંતના પરિવારને મળવા જશે તબરેઝ

તબરેઝ રવિવારે સુશાંતના બાંદ્રા સ્થિત ઘરે પણ ગયો હતો. તેણે કહ્યું, “મને હંમેશા અફસોસ રહેશે કે મેં ઊંડે ઊતરીને તેની પીડા જાણવાની કોશિશ ના કરી. એ ક્યારેય તેની પરેશાનીઓ વિશે વાત કરતો નહોતો. પીડાને ભૂલાવવા તે કલાકો સુધી ઊંધ્યા કરે તેવો હતો. કાશ તેણે મારો નંબર ડાયલ કર્યો હોત.” તબરેઝે એમ પણ જણાવ્યું કે તે એક-બે દિવસમાં સુશાંતના પરિવારને મળવા પણ જશે.



from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/37Fz8Od

No comments:

Post a Comment

Pages