Latest

Thursday, June 18, 2020

પરિવાર પાસે પટના પહોંચી સુશાંતની બહેન, ભાઈને યાદ કરીને લખ્યું, ‘તું પીડામાં હતો પણ…’

સુશાંતને યાદ કરીને ભાવુક થઈ બહેન

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. બાંદ્રા સ્થિત ઘરે આત્મહત્યાના કારણે સુશાંતનું મોત થયું. સોમવારે સુશાંતના પરિવારજનો અને નજીકના મિત્રોની હાજરીમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સુશાંતના પિતા કે.કે. સિંહ અને અન્ય પરિવારજનો તેના અંતિમ સંસ્કાર માટે મુંબઈ આવ્યા હતા. જો કે, સુશાંતની યુએસમાં રહેતી બહેન શ્વેતા સિંહ કીર્તિ અંતિમ સંસ્કારમાં આવી ના શકી. હાલમાં જ પોતાના ભાઈને યાદ કરીને શ્વેતાએ ઈમોશનલ પોસ્ટ લખી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

‘તારી પીડા લઈને ખુશીઓ આપી શકતી હોત તો આપત’

શ્વેતા સિંહ કીર્તિએ ફેસબુક પર લખ્યું, “મારું બેબી, મારો બાબુ, મારું બાળક શારીરિક રીતે આપણી સાથે નથી. ઠીક છે. મને ખબર છે તું ખૂબ પીડામાં હતો અને મને ખબર છે કે તું લડવૈયો હતો અને તું બહાદુરીથી લડ્યો. સોરી સોના…સોરી તારે જે પીડામાંથી પસાર થવું પડ્યું એના માટે. જો હું લઈ શકતી હોત તો તારી બધી જ પીડા લઈ લેત અને મારી ખુશીઓ તને આપી દેત. તારી ચમકતી આંખોએ દુનિયાને સપના જોતાં શીખવ્યું અને તારું નિર્દોષ સ્મિતે તારા હૃદયની પવિત્રતા બતાવતું હતું.”

‘નફરત નહીં પ્રેમને પસંદ કરજો’

શ્વેતાએ આગળ લખ્યું, “તને હંમેશા પ્રેમ કરીશ મારા બચ્ચા અને ખૂબ વધુ કરીશ…તું જ્યાં પણ છે મારા દીકરા ખુશ રહેજે…યાદ રાખજે કે સૌએ તને પ્રેમ કર્યો છે અને હંમેશા નિઃસ્વાર્થ ભાવે કરતા રહેશે. આ સમય કપરો છે પરંતુ જ્યારે પણ તમારી પાસે પસંદગીની તક હોય ત્યારે નફરત નહીં પ્રેમને પસંદ કરજો, દયા અને ઉદારતાને પસંદ કરજો ગુસ્સાને નહીં. સ્વાર્થી નહીં નિઃસ્વાર્થ બનજો. માફી આપજો….તમારી જાતને માફ કરજો, અન્યોને માફ કરજો…બધાને માફી આપજો. દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહી છે. તમારી જાત પર અને બીજા પર દયાભાવ રાખજો. ક્યારેય તમારા દિલને બંધ ના કરતા…ક્યારેય નહીં. #SushantSinghRajput”

આજે દિવંગત એક્ટરના અસ્થિ વિસર્જિત કરશે પરિવાર

શ્વેતાની પોસ્ટ

શ્વેતા સિંહ કીર્તિ સુશાંતના અંતિમ સંસ્કારમાં તો ના આવી શકી પરંતુ હવે તે પરિવાર પાસે પટના પહોંચી ગઈ છે. શ્વેતાએ ફેસબુક પર આ વિશે લખ્યું, “ગઈકાલે પરિવાર પાસે પટના પહોંચી ગઈ છું. આ પ્રક્રિયામાં મદદ કરનારા સૌનો આભાર. મારી મુસાફરી અડચણ વિના પૂરી થઈ. આજે અમે ભાઈના અસ્થિ વિસર્જિત કરીશું. હું ફરીથી તમને કહીશ કે તેના માટે પ્રાર્થના કરજો અને તેને સારી યાદો સાથે વિદાય આપજો. તમારા હૃદયમાં તેના માટે અઢળક પ્રેમ રાખજો. તેના જીવનનો ઉત્સવ ઉજવી અને તેને પ્રેમાળ અને ખુશીઓથી ભરેલી અંતિમ વિદાય આપીએ.” મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂત ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો અને પરિવારમાં સૌનો લાડકો હતો.



from Page Array – I Am Gujarat https://ift.tt/3fv2HVi

No comments:

Post a Comment

Pages