બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેનો પરિવાર અને ફેન્સ ગમગીન છે. માત્ર 34 વર્ષની ઉંમરે આ રીતે એક્ટરે દુનિયાને અલવિદા કહી દેતા તેના પરિવારને આંચકો લાગ્યો છે. એક્ટરનું નિધન થયું ત્યારથી તેના જૂના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં તેનો અલગ-અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સુશાંતના નિધન બાદ તેના વિશે અલગ-અલગ પ્રકારની વાતો થઈ રહી છે. પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યું છે કે, જુવાનજોધ દીકરાને ગુમાવનાર એક બાપ પર શું વીતી રહ્યું હશે?. જે ઉંમરે દીકરાના સાથની બાપને સૌથી વધારે જરૂર હોય તેવા પડાવ પર તેઓ સાવ એકલા પડી ગયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
સુશાંતના નિધનથી સૌથી વધારે કોઈ દુઃખી હોય તો તે તેના પિતા છે. એક્ટરના મોત વિશે જ્યારે તેમને જાણ થઈ ત્યારે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે પણ તેમના એક-એક ડગલામાં દીકરાને ગુમાવ્યાનો ભાર વર્તાતો હતો.
સોશિયલ મીડિયા પર સુશાંતના પિતાની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીર પટનામાં રાખવામાં આવેલી પ્રાર્થના સભા દરમિયાનની છે. જેમાં તેઓ સુશાંતની તસવીરની પાસે બેઠા છે અને ચહેરા પર ઉદાસીનતા સ્પષ્ટ જોવા મળી રહી છે. આ તસવીર જોઈને ભલભલી વ્યક્તિનું હૈયુ રડી પડે.
સુશાંતના નિધન બાદ ફેન્સમાં પણ નારાજગી જોવા મળી રહી છે. પટનામાં તો એક્ટરના ફેને સલમાન, કરણ જોહર સહિતના કેટલાક સેલબ્સ સામે વિરોધ પ્રદર્શન કરીને તેમના પૂતળા સળગાવ્યા હતા.
ગઈકાલે એક્ટરનો અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો હતો. જેમાં તેનું મોત આપઘાત કરવાથી થયું હોવાનો ખુલાસો થયો છે. પોલીસ હવે વિસરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, સુશાંત છેલ્લે શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ ‘છિછોરે’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની રિલીઝની રાહ જોવાઈ રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2VdwEBx
#heartbreaking #SushantSinghRajput #ripsushantsinghrajput #bollywood #bollywoodactor #bollywoodceleb #bollywoodcelebrity #bollywoodnews #bollywoodmovie #etimes #entertainmenttimes
No comments:
Post a Comment