Latest

Monday, June 29, 2020

સીરિયલ ‘તારક મહેતા…’ના ડાયરેક્ટરે લીધી સેટની મુલાકાત, શૂટિંગ શરૂ થવા અંગે કહ્યું…

‘ગોકુલધામ સોસાયટી’ પહોંચ્યા ડાયરેક્ટર

કોરોના વાયરસના કારણે બંધ થયેલા ટીવી સીરિયલોના શૂટિંગ ફરીથી શરૂ થયા છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘ભાભીજી ઘર પર હૈ’, ‘કસૌટી જિંદગી કી 2’ વગેરે જેવી સીરિયલોના સેટ પર તકેદારીના પૂરતાં પગલા સાથે શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે. એવામાં ટૂંક સમયમાં જ સીરિયલોના નવા એપિસોડ ટેલિકાસ્ટ થવાના શરૂ થઈ જશે. હવે દર્શકો રાહ જોઈ રહ્યા છે તેમની મનપસંદ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડની! આ સીરિયલનું શૂટિંગ હજી શરૂ થયું નથી પરંતુ તાજેતરમાં જ શોના ચીફ ડાયરેક્ટર માલવ રાજદાએ સેટની મુલાકાત લીધી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શૂટિંગ શરૂ થવા અંગે શું કહ્યું?

 

View this post on Instagram

 

JUST A VISIT TO THE SETS… Friends shooting has not started yet…BUT HOPEFULLY IT WILL SOON….no dates decided yet…

A post shared by Malav Rajda (@malavrajda) on

માલવ રાજદાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ‘ગોકુલધામ સોસાયટી’ની તસવીરો શેર કરી હતી. તસવીરો શેર કરતાં માલવે જણાવ્યું, “સેટની માત્ર મુલાકાત લીધી હતી. શૂટિંગ હજુ શરૂ નથી થયું પરંતુ આશા છે કે જલદી જ શરૂ થશે. હજી તારીખો નક્કી નથી થઈ.” તસવીરો જોતાં તો લાગી રહ્યું છે કે, માલવ રાજદા સહિત સીરિયલની ટીમના અન્ય લોકો સેટનું નિરીક્ષણ કરવા ગયા હશે. શૂટિંગ શરૂ થઈ શકે કે નહીં તે નક્કી કરવા માટે આ મુલાકાત લીધી હોઈ શકે છે.

નવી સ્ક્રીપ્ટ તૈયાર છે: આસિત મોદી

જો કે, શૂટિંગ ભલે શરૂ ના થયું હોય માલવની આ તસવીરો દ્વારા ફેન્સને ગોકુલધામ સોસાયટીની ઝલક તો જોવા મળી જ છે. આ મહિનાની શરૂઆતમાં સીરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ અમારા સહયોગી TOIને જણાવ્યું હતું કે, “અમારા દર્શકોએ નવા એપિસોડ માટે ખૂબ રાહ જોઈ છે. અમે સરકારનો આભાર માનીએ છીએ કે, તેમણે ફરીથી શૂટિંગ શરૂ કરવાની મંજૂરી આપી છે. સત્તાધીશો પાસેથી ફાઈનલ પરમિશન મળ્યા પછી અમે જલદી જ શૂટિંગ શરૂ કરીશું તેવી આશા છે. અમારા દર્શકોને ક્વોલિટી એન્ટરટેઈનમેન્ટ પૂરું પાડીશું. અમે ગાઈડલાઈન્સનું પાલન કરીને ટૂંક સમયમાં જ શૂટિંગ ફરી શરૂ કરીશું. અમારી કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શૂટિંગ કરવામાં આવશે. છેલ્લા થોડા મહિનાથી અમે નવી સ્ક્રીપ્ટ તૈયાર કરવાના કામમાં જોડાયેલા હતા. મને આશા છે કે, ફેન્સને આ નવી સ્ક્રીપ્ટ પસંદ આવશે. અમે કેટલીક રસપ્રદ સ્ક્રીપ્ટ ફાઈનલ પણ કરી દીધી છે.”

શૂટિંગ માટે તૈયાર છે કલાકારો

આ સિવાય દિલીપ જોશી (જેઠાલાલ), મુનમુન દત્તા (બબીતાજી) અને પલક સિદ્ધવાની (સોનુ ભીડે) જેવા કલાકારોએ વિવિધ માધ્યમો દ્વારા કામ પર ફરી પરત ફરવાની તૈયારી દર્શાવી હતી.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/3eUBHPv

No comments:

Post a Comment

Pages