Latest

Monday, June 29, 2020

‘કસૌટી…’માં અનુરાગ અને પ્રેરણાની દીકરીનો રોલ હવે આ ચાઈલ્ડ આર્ટિસ્ટ પ્લે કરશે

શરૂ થયું KWK 2નું શૂટિંગ

અનલોક 1.0 અંતર્ગત ઘણા ટીવી શોનું શૂટિંગ ફરીથી શરૂ થઈ ગયું છે. કુંડલી ભાગ્ય અને નાગિન 4 સિવાય એકતા કપૂરના હિટ શો ‘કસૌટી જિંદગી કી’નું શૂટિંગ પણ ફરીથી પાટા પર ચડી ગયું છે. પરંતુ આ શોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ સુમૈયા ખાનને લઈને એક ન્યૂઝ સામે આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પ્રેરણાની દીકરીને કરાઈ રિપ્લેસ

એક વેબ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, સુમૈયા ખાનને શોમાં રિપ્લેસ કરવામાં આવી રહી છે. સુમૈયા સીરિયલમાં પાર્થ અને પ્રેરણાની દીકરી સ્નેહાનો રોલ કરી રહી હતી. તેની જગ્યાએ હવે આ રોલ તહસીન શાહ કરશે. તહસીન આ પહેલા ‘ઉડાન’માં જોવા મળી હતી. જો કે, આ રિપ્લેસમેન્ટનું કારણ શું છે, તે હજુ જાણી શકાયું નથી. એક તરફ જ્યાં ફેન્સ ‘કસૌટી જિંદગી કી 2’નું શૂટિંગ ફરીથી શરૂ થવાનું હોવાથી ખુશ છે તો સુમૈયા ખાનને રિપ્લેસ કરવાના ન્યૂઝ તેમનું દિલ તોડી શકે છે.

આ સીરિયલમાં જોવા મળી હતી સુમૈયા

સુમૈયા ખાનની વાત કરીએ તો તે આ પહેલા ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’માં રુબીના દિલૈકની દીકરી હીરના રોલમાં જોવા મળી હતી, જેમાં દર્શકોએ તેને ખૂબ પસંદ કરી હતી.

કરણ સિંહ ગ્રોવરને પણ કરાયો રિપ્લેસ

તો બીજી તરફ શોમાં મિસ્ટર બજાજના રોલ માટે એક્ટર કરણ પટેલને સાઈન કરવામાં આવ્યો છે. અગાઉ આ રોલ એક્ટર કરણ સિંહ ગ્રોવરે કર્યો હતો, પરંતુ લોકડાઉન બાદ તેણે શોમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. આ પહેલા મિ. બજાજના રોલ માટે શરદ કેલકરથી લઈને ગૌરવ ચોપડાનું નામ સામે આવ્યું હતું.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2VrXRRr

No comments:

Post a Comment

Pages