Latest

Wednesday, June 17, 2020

સુશાંતના મૃત્યુને ફેન્સે ગણાવી ‘હત્યા’, પ્રદર્શન કરી બાળ્યા સલમાન, કરણ અને આલિયાના પૂતળા

કરણ, આલિયા, સલમાન પર આરોપ

સુશાંત સિંહના નિધન બાદ બોલિવુડના પ્રોડ્યૂસર્સ અને ડિરેક્ટર્સ ટેલેન્ટેડ એક્ટર્સના બદલે સ્ટારકિડને વધારે મહત્વ આપી રહ્યા હોવાની ચર્ચા છેડાઈ છે. એક્ટરના ફેન્સે પણ કરણ જોહર, આલિયા ભટ્ટ અને સલમાન ખાન સહિતના સેલેબ્સ પર આવો આરોપ લગાવ્યો છે.

પટનામાં વિરોધ પ્રદર્શન

લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, એક્ટરે મુંબઈ સ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં આપઘાત કર્યાના બીજા દિવસે પટનાના લોકોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોમાં એક્ટરના ફેન્સ કરણ, સલમાન, આલિયા અને અન્ય કેટલાક સેલેબ્સના પૂતળા બાળી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ સિવાય તેમણે સુશાંતના મૃત્યુને ‘હત્યા’ ગણાવી છે.

ફેન્સે બાળ્યા સેલેબ્સના પૂતળા

કંગના રણૌત, સૈફ અલી ખાનથી લઈને રણવીર શૌરી સુધીના ઘણા સેલેબ્સ સુશાંતના નિધન બાદ બોલિવુડના રૂપેરી પડદા પાછળનું કડવું સત્ય જણાવી ચૂક્યા છે. કંગનાએ વીડિયો શેર કરીને કહ્યું હતું કે, સુશાંતનો વાંક માત્ર એટલો જ છે કે, કેટલાક લોકોએ તેને ‘વર્થલેસ’ કહ્યો અને તેણે તે માની લીધું. પરંતુ તેણે તે માનવું જોઈતું હતું જે તેની માતાએ કહ્યું હતું.

મુંબઈ પોલીસ કરી રહી છે તપાસ

તો સૈફ અલી ખાને કહ્યું હતું કે, કેટલાક લોકો સુશાંતના નિધનનો લાભ લઈ રહ્યા છે અને શરમજનક વાતો કરી રહ્યા છે. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, મુંબઈ પોલીસ અન્ય એન્ગલથી પણ તપાસ કરી રહી છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/37DlXNR

No comments:

Post a Comment

Pages