Latest

Wednesday, June 24, 2020

નેપોટિઝમના મુદ્દા પર આલિયાની મમ્મીએ કર્યો સવાલ, કહ્યું ‘જ્યારે તેમના બાળકો આવશે ત્યારે…’

નેપોટિઝમની ચાલી રહી છે ચર્ચા

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. એક્ટરના નિધન બાદ ફરીથી બોલિવુડમાં નેપોટિઝમ ચાલી રહ્યું હોવાની ચર્ચા છેડાઈ છે. આ મામલે કરણ જોહર, આલિયા ભટ્ટ, એકતા કપૂર સહિત 8 સેલેબ્સ સામે ફરિયાદ પણ નોંધાઈ છે. તેમજ આ લોકોના કારણે જ સુશાંત પ્રેશર અનુભવી રહ્યો હોવાનો ફેન્સનો આરોપ છે.

આલિયાની મમ્મીએ કરી વાત

હવે, આલિયાની મમ્મી સોની રાઝદાન નેપોટિઝમની ચર્ચામાં કૂદી છે. તેણે કહ્યું કે, જે લોકો આજે આ બાબતની ચર્ચા કરી રહ્યા છે તેઓ જ ભવિષ્યમાં પોતાના બાળકોને ઈન્ડસ્ટ્રી જોઈન કરવા માટે સપોર્ટ કરશે. તેણે આ વાત ડિરેક્ટર હંસલ મહેતાના ટ્વીટ બાદ કહી હતી.

હંસલ મહેતાનું ટ્વીટ

હંસલ મહેતાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘નેપોટિઝમની ચર્ચાને વધારવી પડશે. મેરિટ વધારે મહત્વ ધરાવે છે. મારા દીકરાને મારા કારણે જગ્યા મળી અને કેમ નહીં? તે મારા સૌથી સારા કામનો અભિન્ન અંગ રહ્યો છે, કારણ કે તે પ્રતિભાશાળી, મહેનતુ અને મારા જેવા જ તેના મૂલ્યો છે. એટલા માટે નહીં કારણ કે તે મારો દીકરો છે’.

બીજા ટ્વીટમાં ડિરેક્ટરે શું કહ્યું?

હંસલ મહેતાએ અન્ય ટ્વીટમાં લખ્યું હતું કે, ‘તે ફિલ્મો બનાવશે એટલા માટે નહીં કારણ કે હું તેને પ્રોડ્યૂસ કરીશ. હું કરી શકું નહીં. પરંતુ તે ફિલ્મો બનાવવા માટે સક્ષમ છે. જો તે કરી શકશે તો જ તેનું કરિયર બનશે.તેનું કરિયર તેને પોતાને બનાવવાનું છે, પિતાને નહીં. મારું હોવું તે તેના માટે સૌથી મોટો ફાયદો અને સૌથી મોટો પડકાર છે’.

સોની રાઝદાને જવાબ આપ્યો

હંસલ મહેતાની ટ્વીટનો જવાબ આપતાં સોની રાઝદાને કહ્યું, ‘કોઈ ફેમસ વ્યક્તિના દીકરા-દીકરી હોવાથી લોકોની તેમના પ્રત્યેની અપેક્ષા વધારે હોય છે. જે લોકો આજે નેપોટિઝમની વાતો કરી રહ્યા અને પોતાના બળ પર અહીંયા છે. તેમને પણ બાળકો થશે. જો તેઓ ઈન્ડસ્ટ્રીમાં આવવા માગશે તો? શું તેઓ તેમને આમ કરતા રોકી શકશે?’.



from Page Array – I Am Gujarat https://ift.tt/2BzG2Zz

No comments:

Post a Comment

Pages