Latest

Saturday, June 6, 2020

અમદાવાદની સ્થિતિ ચિંતાજનક: કોરોનાના મૃત્યુદરમાં શહેર આખા દેશમાં સૌથી આગળ

દિલ્હી, મુંબઈ કરતાં અમદાવાદમાં ગંભીર સ્થિતિ

અતુલ ઠાકુર/રેમા નાગરાજન: દેશમાં હાલ ભલે દિલ્હી અને મુંબઈ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરો લાગે. પરંતુ આ બંને મેટ્રો સિટીથી અડધી વસ્તી ધરાવતા અમદાવાદમાં કોરોનાથી થતા મૃત્યુનો દર સૌથી વધારે છે. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પણ અમદાવાદમાં દર દસ લાખની વસ્તીએ કોરોનાથી થયેલા મોતનું પ્રમાણ સૌથી ઉંચું છે. એટલું જ નહીં, કોરોનાના દર 100 દર્દીએ મોતને ભેટતા દર્દીઓની સંખ્યા પણ અમદાવાદમાં જ સૌથી ઉંચી છે.

દર દસ લાખની વસ્તીએ 115ના મોત

દર 10 લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી 115 લોકોના મોત થયા છે. આ જ પ્રમાણ મુંબઈમાં 80નું છે. ચોંકાવનારી વાત એ છે કે, બેંગલોર જેવા શહેરમાં દર દસ લાખે કોરોનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર 1 છે. કેસ ફર્ટિલિટી રેટ (CFR) એટલે કે કોરોનાના દર 100 દર્દીઓએ થતાં મોતના પ્રમાણની વાત કરીએ તો ચેન્નૈમાં આ પ્રમાણ માત્ર 0.9 ટકા છે. આ તમામ ડેટા શુક્રવાર સવાર સુધીનો છે. તેમાં આવરી લેવાયેલા 50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં તેની આસપાસના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

ટેસ્ટ પણ ઓછા, સારવારમાં પણ ધાંધીયા

અમદાવાદનો CFR 6.0 થાય છે. કેટલાક એક્સપર્ટ્સનું માનીએ તો શહેરમાં ટેસ્ટ ઓછા થતાં હોવાથી CFR ઘણો ઉંચો છે. જોકે, દર દસ લાખની વસ્તીએ અમદાવાદમાં કોરોનાથી જેટલા મોત થયા છે તે બતાવે છે કે શહેરમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. અમદાવાદમાં ન માત્ર ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ તેની સાથે દર્દીઓને યોગ્ય સારવાર પણ નથી મળી રહી તેવું આ આંકડા દર્શાવે છે.

શહેરમાં અત્યારસુધી 953 મોત

અત્યારસુધી શહેરમાં થયેલા કુલ મોતનો આંકડો 953 થાય છે. મુંબઈ (1,698) બાદ અમદાવાદ કુલ મૃત્યુઆંકમાં બીજા નંબરે આવે છે. ત્યારબાદ દિલ્હી 650 લોકોના મોત સાથે ત્રીજા નંબરે આવે છે. બેંગલુરુમાં માત્ર 428 કેસ નોંધાયા છે અને મોતને ભેટેલા લોકોની સંખ્યા માત્ર 14 છે.

રિકવરીનો આંકડો છેતરામણો

ઘણા શહેરો દ્વારા સ્થિતિ કાબૂમાં છે તેવું ચિત્ર ઉભું કરવા માટે રિકવરી રેટનો આંકડો આગળ કરાઈ રહ્યો છે. જોકે, એક્સપર્ટ્સ વારંવાર જણાવી રહ્યા છે કે કોરોનાના 90 ટકા દર્દીઓ સાજા થઈ જાય તેવી પૂરી સંભાવના હોય છે. સમય સાથે રિકવરી રેટ પણ ઉંચો જવાનો જ છે. જોકે, માત્ર રિકવરી રેટનો આંકડો કોરોના સામેની લડાઈ કેટલી કારગત છે તે દર્શાવવા પૂરતો નથી ઉલ્ટાનો ગેરમાર્ગે દોરનારો છે.

9 શહેરોમાં 1.3 લાખ કેસ

દેશમાં 50 લાખથી વધુ વસ્તી ધરાવતા 9 શહેરોમાં કોરોનાના 1.3 લાખ (લગભગ 60 ટકા) કેસો છે. જેમાંથી 4,299 દર્દીઓના અત્યારસુધી મોત થઈ ચૂક્યા છે. આ શહેરોમાં તેની આસપાસના નાના-મોટા શહેરી વિસ્તારોનો પણ સમાવેશ કરાયો છે. જેમ કે, અમદાવાદની સાથે ગાંધીનગરને પણ ગણતરીમાં લેવાયું છે. મુંબઈ સાથે થાણે, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા ભાયંદર તેમજ ઉલ્હાસનગરને પણ મુંબઈમાં જ ગણવામાં આવ્યા છે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3gZ8qnZ

No comments:

Post a Comment

Pages