સુરત: નવસારીની 20 વર્ષીય બ્રેન ડેડ યુવતીના પરિવારે તેનું અંગદાન કરવાનો નિર્ણય કર્યો છે. નાની વયે દુનિયા છોડીને ચાલી ગયેલી યુવતીના અંગો દ્વારા જરૂરિયાતમંદને જીવનની વધુ એક તક મળશે. નવસારીના ગણદેવી તાલુકાની રહેવાસી અને નવસારીની એસ.એસ. અગ્રવાલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી દિશા નાઈકનું અંગદાન કરવામાં આવ્યું છે. સુરતમાં લોકડાઉન પછી અંગદાનનો આ પહેલો કેસ છે. શનિવારે દિશાના મહત્વના અંગો જેવા કે બે કિડની, આંખો અને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કાઢી લેવાયા હતા.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
ખેડૂતની દીકરી દિશાએ 16 જૂને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક સુરતની SIDS હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેના CT સ્કેન રિપોર્ટમાં બહાર આવ્યું કે, બ્લડ અને ઓક્સિજન પહોંચતા બંધ થઈ જતા તેના મગજ પર સોજો આવ્યો હતો. આત્મહત્યાના પ્રયાસમાં ગળે ફાંસો ખાવાના લીધે આમ થયું હતું.
પાંચ દિવસ સુધી સારવાર અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા પછી ડૉક્ટરે તેને બ્રેન ડેડ જાહેર કરી હતી. ડૉક્ટરે શહેરના એનજીઓ ડોનેટ લાઈફનો સંપર્ક કર્યો હતો જે લોકોને ઓર્ગન ડોનેશનનું મહત્વ જણાવી તેના માટે તૈયાર કરે છે. ડોનેટ લાઈફના ફાઉન્ડર અને સ્ટેટ એડવાઈઝરી કમિટી ફોર ઓર્ગન એન્ડ ટિશ્યૂ (SACOT) ટ્રાન્સપ્લાન્ટના સભ્ય નિલેશ માંડલેવાલાએ અમારા સહયોગી અખબાર TOIને કહ્યું, “25 માર્ચે લાગુ કરાયેલા લોકડાઉન પછી આ પ્રથમ ઓર્ગન ડોનેશન થયું છે. મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો ત્યારે મેં તેમને મૃતકનો કોવિડ-19 ટેસ્ટ કરવાનું કહ્યું હતું. જે નેગેટિવ આવ્યો હતો. જેથી અમે તાત્કાલિક અમદાવાદ સ્થિત IKDRC (ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર)નો સંપર્ક કર્યો હતો.”
“યુવતીના પિતા મણિ નાઈક (50 વર્ષ) અને પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશન માટે તૈયાર કરવામાં સમય લાગ્યો. અમે 6 દિવસ સુધી તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું. દિશાના માતા-પિતાને સમજાવવાનું કામ ખૂબ કપરું હતું. જો કે, 6 દિવસના કાઉન્સિંગ બાદ તેઓ અંગદાન કરવા રાજી થયા હતા”, તેમ નિલેશ માંડલેવાલાએ જણાવ્યું.
મણિ નાઈકે કહ્યું, “અમારી દીકરી ફિઝિયોથેરાપિસ્ટ બનીને લોકોની સેવા કરવા માગતી હતી. તેણી હોસ્પિટલના બિછાને નિર્જીવની જેમ સૂતેલી છે અને બ્રેન ડેડ જાહેર કરાઈ છે. અમે તેના અંગોનું દાન કરીને જે લોકોને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેમનો જીવ બચાવવા માગીએ છીએ. આમ કરવાથી અમારી દીકરી અન્યોના શરીરમાં તો જીવિત રહેશે.”
દિશાની કિડનીઓ અને લિવર અમદાવાદ સ્થિત IKDRCને દાન કરવામાં આવી છે. જ્યારે તેની આંખો સુરતની લોકદ્રષ્ટિ આઈ બેંકમાં ડોનેટ કરાઈ છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2YC7Rt7
No comments:
Post a Comment