અમદાવાદ: કોરોનાના ફફડાટ વચ્ચે હેન્ડ સેનિટાઈઝર હવે જીવનજરુરી વસ્તુ બની ગયું છે. જોકે, તેને સલામત જગ્યાએ રાખવું કેટલું જરુરી છે તે દર્શાવતો એક ચોંકાવનારો કિસ્સો શહેરના ઓઢવ વિસ્તારમાં બન્યો છે. જેમાં એક માનસિક રીતે બીમાર યુવક સેનિટાઈઝર ભૂલથી પી જતાં તેનું 11 દિવસની સારવાર બાદ મોત થયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ચિરાગ પ્રજાપતિ નામનો 26 વર્ષનો યુવક ઘરમાં રાખેલી બોટલમાંથી સેનિટાઈઝર પી ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 11 દિવસની સારવાર બાદ સોમવારે સાંજે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. સેનિટાઈઝર પી જવાના કારણે તેના અંગો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેના કારણે તેનું મોત થયું હતું.
મૃતક લાંબા સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો. તેણે દવાના બદલે ભૂલથી સેનિટાઈઝર પી લેતા આ ઘટના બની હતી. ચિરાગને 4 જૂનના રોજ સિવિલના આઈસીયુમાં એડમિટ કરાયો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોલીસ એ પણ જાણવા પ્રયાસ કરી રહી છે કે ચિરાગે આપઘાત કર્યો કે ખરેખર તેણે ભૂલથી સેનિટાઈઝ પી લીધું?
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેને ડોક્ટરે જે દવાઓ લખી આપી હતી તેમાં કોઈ દવા એવી નહોતી કે જેનો દેખાવ હેન્ડ સેનિટાઈઝર જેવો હોય. સૂત્રોનું માનીએ તો, તેણે ભૂલથી સેનિટાઈઝરની બોટલમાંથી પ્રવાહી પી લીધું હોય તે વાત માન્યામાં આવે તેવી નથી. મૃતકને દારુની લત હતી કે કેમ તે પણ પોલીસ તપાસી રહી છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/3eaWnSC
No comments:
Post a Comment